વેબ સરિતા: 08/05/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday 5 August 2014

સંકલ્પ શક્તિ શું છે? Know your Strength...-જિજ્ઞેશ ઉપાધ્યાય

તમારી શક્તિને જાણો, ઓળખો અને એનાં પર વિશ્વાસ રાખો :

        દુનિયામાં કોણ એવું છે કે જેનાં મનમાં, હ્રદયમાં મહત્વાકાંક્ષાં નથી હોતી? દરેકનાં મનમાં કોઇને કોઇ ઇચ્છા અવશ્ય હોય જ છે. હરકોઇ કંઇક ને કંઇક મેળવવા ઇચ્છે છે. પરંતુ શું માત્ર ઇચ્છા રાખવાથી જ તમે તે સ્થાન કે તમારી મહત્વાકાંક્ષાને મેળવી શકશો? પામી શકશો? દરેક મહત્વાકાંક્ષા અત્યંત પરિક્ષમ માંગે છે. હવે ખેડૂતનું જ ઉદાહરણ લઇ લો. પોતાની ખેતી કે ફસલ માટે એ કેટલી મહેનત કરે છે, પરિક્ષમ કરે છે. ફુલ-ફળ શું આપમેળે ઉગે છે? એને ઉગાડવાવાળાં લોકો પાસેથી જ આપણે જાણી શકીએ છીએ કે આ બધું ઉગાડવા કે મેળવવા તેમણે કેટલી મહેનત કરેલી, કેટલો સખત પરિક્ષમ કરેલો. મહત્વાકાંક્ષા પણ આમા અપવાદ નથી.

        મહેનત કરો. તમારી હર એક મહત્વાકાંક્ષા હરેક ઇચ્છા પુરી થશે. પણ એ માટે પહેલી શરત છે, મહેનત કરવાની, પરિક્ષમ કરવાની અને એ પણ સખત. મહેનત કરવાથી તમને બધું મળી શકે છે. બસ જરૂર છે યોગ્ય દિશામાં મહેનત કરવાની.

આ માટે અમુક નિયમો કે સુચનાઓ પર નજર દોડાવીએ.

મનોદશા કે ચિત્તને સ્થિર રાખો –
        તમારા કામ પર તમારા મનને એકાગ્ર કરો. સ્થિર કરો. તમારી જ જીત થશે અને મનોવાંછીત ફળ પણ મળશે જ એવાં પૂર્ણ આત્મવિશ્વાસ સાથે મચી પડો. દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની તમામ શક્તિઓને તમારા લક્ષ પર એકાગ્ર કરી દો તો જ સફળતા મળશે. આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર થતી નથી. પરિસ્થિતિ ભલે ગમે એવી હોય, પણ પોતાનાં મનને સ્થિર મનોદશાને સ્થિર રાખો. પછી જુઓ ચમત્કાર…!

આત્મ શ્રધ્ધા રાખો –
        તમે જે લક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તો એ મેળવવા માટે જો તમને તમારી જાત પર જ વિશ્વાસ નહીં હોય શ્રધ્ધા નહીં હોય તો એ તો પેલી વાત જેવું થયું કે તમે ચાલો છો તો પશ્ચિમ બાજુ પણ પૂર્વ પર પહોંચવા ઇચ્છો છો. સફળ થવા માટેનો સૌથી મોટો અને સીધો સાદો સિદ્ધાંત છે કે તમે જે લક્ષને મેળવવા ઇચ્છો છો તેને મેળવવાની પ્રબળ આશા પણ રાખો તેમજ એ માટેની જરૂરી એવી શક્તિ અને આત્મવિશ્વાસ તમારા મનમાં ભરી દો. જો તમે જ તમારી યોગ્યતા પર અને લક્ષની પ્રાપ્તિ હેતુ શક્તિ અને સામર્થ્ય પર વિશ્વાસ નહીં રાખો શ્રદ્ધા નહીં રાખો તમે લખી રાખજો કે મનચાહી સફળતાને તમે કદી તમારી પ્રત્યે આકર્ષી નહીં શકો.

મનોવૃત્તિ બદલો –
        આપણાં વિચારોની ગરીબી, નિરાશાની ભાવના, પોતાની શક્તિઓ પર સંદેહ અને ભયની ભાવના, આત્મવિશ્વાસની કમી અને કાર્યહિન બેસી રહેવાની વૃત્તિ જ આપણને ગરીબ બનાવી રાખે છે.

        તમે તમારી મનોવૃત્તિને એક ધનાઢ્ય વ્યક્તિની મનોવૃત્તિ જેવી બનાવો. તમારી કોઇ પણ ચેષ્ટા કે અભિનયથી તમારી ગરીબી દેખાવી ન જોઇએ. જ્યાં સુધી તમારી આસપાસનું વાતાવરણ જ તમને ગરીબીની માનસિકતા તરફ ખેંચતું રહેશે ત્યાં સુધી તમે મનથી પણ ક્યારેય ધનાઢ્યની જેમ વર્તી નહીં શકો. તમારા ઉદ્દેશપૂર્તી હેતુ જે કરવું પડે તે જ કરો. ઘણીવાર પોતાનાં વર્તનથી જ માણસ સફળ થતો હોય છે. પોતાનું દુઃખડું કોઇપાસે રડો નહીં. પોતાની જાતને મજબૂત બનાવો. માર્ગમાં આવનારા વિધ્નથી જરા પણ વિચલીત થયા વિના લક્ષ્ય પર દ્રષ્ટિ રાખો અને આગળ વધો. તમે જરૂર સફળ થશો.

        ખાસમખાસ નેગેટીવ પ્રોગ્રામિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને આવા લોકોથી હરહંમેશ સાવચેત રહેવું. આ એ લોકો છે જેમની મનોદશા ગરીબ છે. તમારે એમનાં જેવું રહેવું હોય તો અને તો જ આવા લોકોનાં સંપર્કમાં રહેજો.

વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો શ્વાસ છે –
        વિશ્વાસ તો કાર્યસિદ્ધિનો પિતા છે. વિશ્વાસથી માનસિક શક્તિઓને સહારો મળે છે અને આ શક્તિઓમાં વધારો પણ થાય છે. વિચારોની તિવ્રતા કેવળ ધારણાઓથી મળે છે. એનામાં સ્થિરતા કેવળ દ્રઢ નિશ્ચયથી આવે છે. એને શક્તિ માત્ર અને માત્ર પ્રચંડ આત્મવિશ્વાસમાંથી મળે છે. જો તમારો આ ગુણ નબળો પડશે તો વિચાર પણ નબળો પડશે અને તમે તમારી કાર્યસિદ્ધિ માટે અસમર્થ થઇ જશો. માટે વિચારો પર વિશ્વાસ રાખો.

        દુનિયામાં કોઇપણ વ્યક્તિ ત્યાં સુધી કંઇ નથી કરી શક્તો કે સફળ થતો જ્યાં સુધી એને પોતાનાં હાથમાં લીધેલા કામનાં વિષયમાં અને એ કામને પુરી કરી શકવાનાં પોતાના સામર્થ્ય પર દ્રઢ વિશ્વાસ ન હોય. જો આ દ્રઢ વિશ્વાસ હોય તો એવા લોકોનું પોતાનાં લક્ષ સાધ્ય હેતુ પાછીપાની કરવાનું અસંભવ હોય છે. એને પોતાનાં પર અને પોતાની શક્તિ અને સામર્થ્ય પર પૂર્ણતઃ દ્રઢ વિશ્વાસ હોય કે જે કામ એને કરવાનું છે એ કામ એ કરી શકે એમ છે. એ માટે એનાં માર્ગમાં આવનારા તમામ વિઘ્નોનો સામનો કરવાની હિંમત પણ ધરાવે છે.

કોઇનું અનુકરણ ન કરવું –
        જે લોકો પોતાનાથી વધુ સામર્થ્ય ધરાવતા લોકોનું અનુકરણ કરવાનું શરૂ કરે ત્યાં એ પોતાની આગવી ઓળખ ગુમાવી લેતા હોય છે. ત્યારબાદ તેઓ માત્ર તેટલું જ જોઇ શકે છે કે વિચારી શકે છે જેટલું પેલી વ્યક્તિ જેનું એ અનુકરણ કરતાં હોય. એક રીતે કહું તો આવા લોકો કૂપમંડૂક બનીને પુરૂ જીવન વ્યતિત કરતાં હોય છે. પોતાનું જીવનમાં ક્યારેય તેઓ પ્રગતિ કરી શકતાં નથી. એમનું જીવન એક ઘોર અંધકારની ગર્તામાં ધકેલાઇ જાય છે, અને એનો આવા લોકોને જરા પણ અહેસાસ હોતો નથી.

        ઉઠો, જાગો અને આગળ વધો! આગળ વધીને દોડો ત્યારે જ તમને તમારી મનચાહી મંઝીલ મળશે. ભગવાને રસ્તો તો બનાવ્યો જ છે. પણ ઉઠીને એ રસ્તા પર ન ચાલો તો આમાં દોષ કોનો? સ્વાભાવિક છે કે આપણો જ દોષ છે.

શ્રેષ્ઠ પરિણામની જ આશા સેવો –
        પ્રત્યેક કાર્ય પ્રત્યે રચનાત્મક દ્રષ્ટિથી જોવું, એની સારી બાજુ જોવી, આશા ભરી નજરોંથે જોવું, સફળતાનો ભરોસો રાખવો અને મનમાં વારંવાર સફળ થશું જ એવા જ ભાવ લાવવા. સંદેહ અને સંશય જેવા નિર્બળ કરનારા ભાવોને મનથી અને પોતાનાથી દુર રાખવા, આ તમામ કાર્યો એવા છે કે જેના કારણે મનુષ્ય પોતાના તમામ કામો અને ચેષ્ટાનું સર્વોત્તમ અને શ્રેષ્ઠ પરિણામ જ મેળવે.

        આશાવાદથી તમામ માનસિક યોગ્યતાઓમાં વૃદ્ધિ થાય છે વિકાસ થાય છે ઠીક એમ જ જેમ સુર્યોદય થવાથી ફુલ-છોડ અને વૃક્ષોની વૃદ્ધિ થાય છે. નિરાશાવાદ એક નકારાત્મક બાજુ છે, એક વિચાર છે, સોચ છે. નિરાશાવાદ ઘોર અંધકાર ભર્યું નરક છે. જ્યાં મનુષ્યની તમામ શક્તિઓ અને તમામ યોગ્યતાઓ અપંગ બની જાય છે અને તેમનો વિકાસ રૂંધાઇ જાય છે. જેમને ચારેકોર નિરાશા જ નિરાશા દેખાતી હોય એમનું ભવિષ્ય અંધકારમય છે.

સિદ્ધિનાં અવસરો –
        એક વાતને તમે ગાંઠે બાંધી લો કે હાલની પરિસ્થિતિવશ તમે કેટલા નિર્ધન અને ગરીબ શા માટે ન હો પણ ભવિષ્યમાં તમે ધનાઢ્ય બની શકો છો. જો કોઇ વ્યક્તિ પોતાની જાત પર ભરોસો રાખે, જો નિરંતર પોતાના ઉદ્દેશ્યની વિશે જ વિચારતો હોય, જે પોતાની કાર્ય કરવાની યોગ્યતાઓ પર ભરોસો રાખતો હોય, જે પોતાની દ્રષ્ટિ નિરંતર પોતાનાં લક્ષ્ય પર એકાગ્ર કરીને રાખતો હોય, જે વ્યક્તિ પોતાનાં પર વિશ્વાસ રાખી અને ઘોર પરિક્ષમ અને સંઘર્ષ કરવાની ઇચ્છા અને સંકલ્પ રાખતો હોય એવા લોકોની જીત હંમેશા થતી હોય છે. આવા લોકો જ પોતાનું ઇચ્છીત ફળ, ઇચ્છીત હેતુંને પાર પાડી શકતા હોય છે.

        તમે જે કાર્યો પુરા કરવાનો મનોમન સંકલ્પ કર્યો હોય એ કાર્યોની સિદ્ધિ પર તમને પૂર્ણતઃ વિશ્વાસ હોવો જરૂરી છે. આશાવાદ જેટલો તિવ્ર હશે એટલો જ ઉત્સાહ પણ ઉગ્ર હશે. ઉત્સાહ જેટલો ઉગ્ર હશે એટલો જ માનસિક પ્રયત્ન પ્રચંડ હશે. માનસિક પ્રયત્ન જેટલો પ્રચંડ હશે એટલી જ તિવ્રતાથી સફળતા પ્રાપ્ત થશે.

નિશ્ચયમાં દ્રઢતા –
        જે વસ્તુને આપણુ હ્રદય ઇચ્છે છે ચાહે છે તે સ્વરૂપનું નિર્માણ આપણી આશા-આકાંક્ષા, આપણો વિશ્વાસ, આપણો દ્રઢ સંકલ્પ અને આપણાં પ્રયત્નો થકી જ થાય છે. જો આપણે આપણાં લક્ષની સિદ્ધિ માટે દ્રઢ નિશ્ચય કરી લઇએ પછી એ પ્રાપ્તિ હેતુ માર્ગમાં ગમે એવાં વિઘ્નો આવે કે અડચણ આવે આપણે આપણાં સંકલ્પ બળના આધારે આ તમામ વિઘ્નો અને અડચણોને દુર કરી સફળતા મેળવી ને જ રહીએ છીએ.
[http://jignesh1976.blogspot.in/ વિચારોનું મેધધનુષ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday 5 August 2014

આજીવન વિદ્યાર્થી રહો, જિંદગી રોજે રોજ શીખવાડે - નવગુજરાત સમય


students
એક પિતા પુત્રને લડતા હતા.. 'તારા ભેજામાં વાત કેમ બેસતી નથી? જ્યારે જુઓ ત્યારે તે જ ભૂલ'. ગુસ્સામાં પિતાનું મોં લાલ થઈ ગયું. અંતે થાકીને તે ઘરની અંદર ચાલ્યા ગયા. બાળક ફરીથી રમવા લાગ્યો. તેના પર તો તેના પિતાની સલાહની કોઈ અસર જ થઈ નહીં. એવું લાગતું હતું કે પિતા ઉતાવળમાં હતા અથવા તેઓ જાણતા હતા કે આનો કોઈ ફાયદો થવાનો નથી.
આપણે દરેક વાતનો ઉકેલ અને દરેક પ્રશ્નનો જવાબ તાત્કાલિક ઈચ્છીએ છીએ. પરંતુ આવું થતું નથી. સલાહ ધીરે-ધીરે પોતાની અસર દેખાડે છે. જીવન પણ ધીરે-ધીરે શિખવાડે છે અને એ શીખીને આપણે મજબૂત થતા જઈએ છીએ. આખરી ક્ષણો સુધી આપણે વિદ્યાર્થી બની રહીએ છીએ. જ્યારે લાગે છે કે જીવન પૂરું થયું, તે સમયે કોઈ નવી સમસ્યા નવી શીખામણની જેમ ટકોરા મારતી જાય છે.

પૂર્ણતા ક્યારેય આવતી નથી. સાધક હંમેશા સાધના કરીને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થી સતત અભ્યાસ કરીને પરીક્ષામાં સફળ થાય છે. હાર એ જ માને છે કે જે કર્મહીન ઉપદેશક હોય છે. બોદા ઉપદેશકોને લાગે છે કે તેમને શીખવાડવાથી કંઈ લાભ નથી. અને બિનગંભીર સાધકને લાગે છે કે આનાથી વધારે શીખવાથી કોઈ ફાયદો નથી. ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો છે. શ્રમ કરવો અર્થહીન છે કારણ કે તે કર્મ કરવા ઈચ્છતો નથી.
જીવનમાં માત્ર ફાયદો કે નુકસાન જ નથી જોવામાં આવતું, તેના સિવાયની પણ એક ભાવના હોય છે- કર્તવ્યની ભાવના- જે પ્રાણીના જીવનને ઉદેશ્ય આપે છે. અંધારું કેટલુંય કાળું કેમ ન હોય- પ્રકાશને હંમેશા અવકાશ રહે જ છે. જો આવું ન હોત, તો કોઈ વાલ્મિકી ફરીથી ઋષિ બનત નહીં.
અંગુલિમાલનો ઉદ્ધાર થાત નહીં. અને બુદ્ધ પણ રાજકુમાર સિદ્ધાર્થ બનીને રહી જાત. તેઓ જે હતા તેનાથી શ્રેષ્ઠ બન્યા, કારણ કે એક ઊંચાઈ સુધી પહોંચી જવા છતાં તેમણે જીવનભર સતત શીખતા રહેવાનો પોતાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.
[http://navgujaratsamay.indiatimes.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

વિદ્યાર્થી જીવન - શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણ


વિદ્યાર્થી જીવન, જીવનનો એ સુવર્ણકાળ છે, જ્યારે ઉમંગો, આકાંક્ષાઓથી ભરપૂર માનવી વ્યક્તિત્વ કાંઈને કાંઈ ગ્રહણ કરવા માટે ઉત્સુક રહે છે. નવી કલ્પનાઓનાં અંકુર ફૂટે છે, નવી આશાઓ કૂં૫ળની જેમ ઊગી નીકળે છે, નવી ઉ૫લબ્ધિઓની કળીઓ ફૂલ બનીને ખીલી ઊઠે છે. દિવાસ્વપ્નોમાં ડૂબેલા ૫રંતુ શક્તિ અને સંભાવનાઓથી ભરપૂર આ જીવન ૫ર વાલીઓનું જ નહિ આખા ૫રિવાર અને સમાજનું ધ્યાન કેન્દ્રિત રહે છે. કંઈક શીખવાનો, કંઈક જાણવાનો, કંઈક બનવાનો સતત સાર્થક પ્રયાસ આ જ સમયમાં થાય છે.
દરેક વિદ્યાર્થીએ એવો અનુભવ કરવો જોઈએ કે તે એક એવા સમયગાળામાંથી ૫સાર થઈ રહ્યો છે, જે તેના ભાગ્ય અને ભવિષ્ય નિર્માણ કરવાની નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ દિવસોમાં શ્રેષ્ઠ વિચાર, સદ્દભાવનાઓ અને સત્પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવામાં આવતો રહે તો તેનો પ્રભાવ જીવનભર રહે છે અને સુખશાંતિની સંભાવનાઓ સાકાર થાય છે.
આ દિવસોમાં મિત્રોનું આકર્ષણ તેની ચરમસીમાએ રહે છે. સારો સાથી મળે તો વિકાસ અને પ્રસન્નતાની વૃદ્ધિમાં સહાયતા જ મળે છે. પ્રત્યેક સમજદાર વિદ્યાર્થીનું કર્તવ્ય છે કે મિત્રતા કરતાં ૫હેલાં હજાર વખત વિચારે. સચ્ચરિત્ર મિત્રો, શ્રેષ્ઠ પુસ્તકો અને સર્વશક્તિમાન ૫રમાત્માનો જ સંગ કરો. સદ્દવિચારોની નોટબુક બનાવો. જ્યારે ૫ણ કોઈ સારી વાત વાંચો, સાંભળો તો નોંધી લો. સમયાંતરે તે દોહરાવો. આદર્શ વ્યક્તિઓનું, મહાપુરુષોનું ધ્યાન અને તેમના ચરિત્રનું ચિંતન-મનન કરો.
સ્વાસ્થ્ય સંરક્ષણ માટે આ સમય સૌથી વધુ યોગ્ય છે. પ્રાકૃતિક નિયમો, આહાર-વિહાર, સૂવા-જાગવાનું વગેરે બાબતોનું જો યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો તંદુરસ્તી એવી બની જશે જે જીવનભર સાથ આપે.
મોટે ભાગે અકુશળ વિદ્યાર્થીઓ જ અનુશાસનહીન  જોવા મળતા હોય છે. વાંચવા ભણવામાં તેમનું મન લાગતું નથી. સારા વિદ્યાર્થીઓના લક્ષણોથી રહિત હોવાના કારણે ગુરુજનો પ્રત્યે શ્રદ્ધા નથી હોતી, શ્રેણી, શ્રેય કે પ્રશંસાને યોગ્ય હોતા નથી. આગામી જીવનની જવાબદારીથી બેખબર રહે છે, જીવનનું કોઈ વિશેષ લક્ષ્ય હોતું નથી. આ પ્રકારની માનસિક શૂન્યતાઓમાંથી જન્મેલી હીનભાવનાને દબાવવા માટે અકુશળ અને અયોગ્ય વિદ્યાર્થી અનુશાસનહીનતાને શાન સમજવા માંડે છે. જે વિદ્યાર્થીઓનાં લક્ષણો ભણવાનાં હોય છે, તેઓ ભણવા સિવાય નકામી જંજાળમાં ૫ડતા નથી.
આત્મનિર્ભરતા, બીજાની સહાયતા, ધર્મનો સદુ૫યોગ, સમયનું સંનિયોજન અને સદુ૫યોગ, માનસિક સંતુલન, સત્સાહિત્યનો સ્વાધ્યાય, કઠિન ૫રિશ્રમ, દ્રઢ સંકલ્પ, સ્વચ્છતા, સુવ્યવસ્થા, સત્સંગતિ, સકારાત્મક વિચાર, સ્વસ્થ જીવન, શાલીનતા, સજ્જનતા, હસતું મુખ, શિષ્ટ અને વિનમ્ર વ્યવહાર યુવાવસ્થાને અલંકૃત કરનારા સદ્ગુણો છે. અર્થ ઉપાર્જનનો અભ્યાસ નવયુવક જો કરવા લાગે તો તેની અંદર એવી વિશેષતાઓ ઉદ્ભવતી જશે, જેના દ્વારા તેનું ભવિષ્ય,સોનેરી અને શાનદાર બની જશે.
[શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણ: http://rushichintan.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

આજનો વિદ્યાર્થી... - પ્રવિણા


વિદ્યાર્થી જીવન એ માનવના જીવનનો સુવર્ણકાળ છે. એ સમય દરમ્યાન
જેટલું જાણીએ, પામીએ અને વિચારીએ તે ભવિષ્યના જીવન ઘડતરમાં
પાયાનું કાર્ય કરે છે. જેટલો પાયો મજબૂત એટલી ઈમારતની ભવ્યતા.
આપણે સંસ્કૃતને દેવ ભાષા જેવું સુંદર પદ આપ્યું છે.
સંસ્કૃતમાં  સુભાષિત છે
काकचेष्टा  बकोध्यानं  श्वाननिद्रा  तथैव च
सदाचारी  सत्यभाषी  विद्यार्थी  पंचलक्षणम
એનો સરળ ગુજરાતી ભાષામાં અર્થ છે.
કાગડાની માફક મંડી પડનાર,  બગલાની માફક ધ્યાન
કરનાર, કૂતરા જેવી ઉંઘ લેનાર, સદાચારથી વર્તનાર
અને હંમેશા  સત્યને ઉચ્ચારનાર. વિદ્યાર્થીના આ પાંચ
લક્ષણ વર્ણવામાં આવ્યા છે.
હવે આજનો ૨૧મી સદીનો વિદ્યાર્થી  તપાસીએ.
कमप्युटरचेष्टा  आईफोनध्यानं  सूर्यवंशीनिद्रा तथैव च
सदाफेशनेबल  अंग्रेजीभाषी विद्यार्थी पंचलक्षणम
આજનો વિદ્યાર્થી કમપ્યુટર પર મંડ્યો રહે,  આઈ ફોનનું
ધ્યાન ધરે, સૂર્ય ઉગે પછી ઉઠે, ટાપટીપમાં  (ફેશનનો ફરિશ્તો)
અને  અંગ્રેજીમાં ગોટપીટ કરે તે તેનાં પાંચ લક્ષણ.
૨૧મી સદીમાં કમપ્યુટર વગર ન ચાલે એ હકિકત છે. તેથી
કમપ્યુટરની આવડત કેળવવી અને મગજને ગિરવે મૂકવું એવું
તો નથી. તેનામાં સારા નગરિકની ભાવના હોવી જરૂરી છે.
[http://pravinash.wordpress.com/ માંથી સાભાર ]

Posted By: http://web-sarita.blogspot.com/

પરિણીતાઓ માટે 'શિવલિંગ' શા માટે અસ્પૃશ્ય? - એકતા


- ભગવાન વિષ્ણુએ મહાદેવની લિંગપૂજાનું વરદાન આપ્યું ત્યારે ભોલેબાબા તપસ્વી-બ્રહ્મચારી હતા

સૃષ્ટિ નિર્માણ માટે ભગવાન શિવનું નામ સમસ્ત દેવીદેવતાઓમાં આદરણીય છે. જટાધારી ભોલેબાબા દેવાધિદેવ છે તેથી મહાદેવ કહેવાયા છે. શંકર ભગવાનનું એક નામ છે આશુતોષ. આશુતોષ એટલે શીધ્ર સંતોષ આપનારા. ત્રિનેત્ર તેમના ભક્તોની મનોકામના શીધ્ર પૂરી કરે છે, તેમને મનવાંછિત ફળ આપે છે, ચાહે તે  કોઈ દેવતા હોય, રાક્ષસ હોય કે કોઈપણ જાતિપાતિનો માનવી. મહાદેવની શરણમાં જનાર ક્યારેય નિરાશ નથી થતો. શિવશંકરની કૃપા તેની ઉપર વરસે જ છે. આ કારણે મહાદેવ આશુતોષ પણ કહેવાય છે.
કૈલાસનિવાસી મહાદેવે ઈન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા, નારદ અન્ય દેવતાઓ,  ઋષિઓ અને રાક્ષસો સુધૃધાંની સહાયતા કરી છે. તેથી જ રાક્ષસરાજ રાવણ શિવજીનો પરમ ભક્ત હતો. શિવશંકરે તેની ઉપર પણ પોતાની કૃપા વરસાવી હતી. તેવી જ રીતે પૃથ્વી પર જે ભગવાન શંકરનું  સ્મરણ કરે, મહાદેવ પ્રત્યે શ્રધૃધાભક્તિ રાખે, શ્રાવણ માસમાં વ્રત, ઉપવાસ સાથે દેવાિધદેવના દર્શન કરે તેના ઉપર જટાધારી અવશ્ય પ્રસન્ન થાય છે.
આપણે સામાન્ય રીતે બધા દેવીદેવતાના સમગ્ર સ્વરૃપને પૂજીએ છીએ. પરંતુ મહાદેવના લિંગની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવાહિત સ્ત્રીઓને શિવલીંગને સ્પર્શ કરવાની મનાઈ કરવામાં આવે છે. આ બંને બાબતો બાબતે આપણને ઘણીવાર પ્રશ્ન થાય કે આવું કેમ? પરંતુ આની પાછળ ચોક્કસ તથ્ય છે. એક પૌૈરાણિક આખ્યાન મુજબ શિવજી તપસ્વી અને બ્રહ્મચારી હતા ત્યારે એક વખત વિષ્ણુ ભગવાનનું મોહિની સ્વરૃપ જોઈને ઉત્તેજિત થઈ ઉઠયા. કામદેવે શંકર ભગવાન પર કબજો જમાવ્યો હોય તેમ ભગવાન કામાગ્નિ  સામે વિવશ થઈ ગયા. તેમની આ સિૃથતિ જોઈને  મોહિની સ્વરૃપ વિષ્ણુ ત્યાંથી ભાગવા લાગ્યા. મહાદેવ તેમની પાછળ પાછળ દોડયા. આ ભાગદોડ અને કામની ઉત્તેજનામાં શિવજીનું સ્ખલન થઈ ગયું. તે વખતે જ મોહિની રૃપમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા.
મહાદેવ ભગવાન વિષ્ણુને જોઈને ચોંકી ઉઠયા. ગભરાયેલા શંકર ભગવાનને વિષ્ણુએ કહ્યું કે મેં તમારી રક્ષા કરવા માટે મોહિની સ્વરૃપ ધારણ કર્યું હતું. તમારી રક્ષા માટે મને આવવું પડયું. ત્યાર પછી વિષ્ણુએ કહ્યું કે હું તમને વરદાન આપું છું કે તમારા સ્ખલનમાંથી બાર જ્યોતિર્લિંગ ઉત્પન્ન થશે અને તમારા લિંગને દુનિયા પૂજશે. આનું કારણ એ છે કે હમણાં તમે તપસ્વી અને બ્રહ્મચારી છો. તમે શારીરિક મૈથુન નથી કર્યું. તમે માત્ર સંભોગ કરવાની ભાવના રાખી હતી.
આ તથ્યની પૂર્તિસ્વરૃપે જ ભગવાન શિવનું માનવ શરીર સ્વરૃપ માત્ર તસવીરોમાં  જોવા મળે છે. જ્યારે શિવાલયોમાં લિંગ પૂજાય છે. લિંગની નીચેના ક્યારી  જેવા ભાગને 'યોેનિ' કહેવાય છે. યોનિ, જે સ્ત્રીની યોનિ જેવી દેખાય છે તે યોનિથી જ સંસારમાં  સ્ત્રી-પુરુષની જોડી બને છે. નર અને નારી,  શિવ અને શક્તિ, રામ અને સીતા, કૃષ્ણ અને રાધા, વિષ્ણુ અને કમલાની જોડી ભારતીય સંસ્કૃતિના જાણીતા યુગલો છે.
શિવલિંગ પર જલાધારી જોવા મળે છે તે પવિત્ર ગંગાનું પ્રતિક છે. તે મહાદેવની જટામાં રહેલી ગંગાને દર્શાવે છે. ગંગાની આ ધારા મહાદેવને પવિત્ર બનાવી રાખે છે.
ઘણાં શિવાલયોમાં સ્ત્રીઓ શિવલીંગનો સ્પર્શ કરે છે સાથે સાથે તેના યોનિના ભાગને પણ ધીમે ધીમે દબાવે છે. તેઓ એમ માને છે કે આ શિવજીના ચરણ છે અને તે દબાવવાથી મહાદેવ પ્રસન્ન થશે. પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી હોય છે. જેમ આપણા શરીરના કોમળ હિસ્સાને કોઈ દબાવે તો આપણને વેદના થાય તેમ શિવલીંગના આ સૃથાનને અત્યંત કોમળ માનવામાં આવે છે. આમ અજાણ્યે જ શિવજીને પીડા પહોેંચાડવી એ પણ એક પ્રકારનો દોષ માનવામાં આવે છે. વિવાહિત મહિલાઓ શિવલીંગને સ્પર્શ ન કરી શકે તેની પાછળનું કારણ એ છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ મહાદેવને વરદાન આપ્યું ત્યારે ભોલેબાબા તપસ્વી હતા, તેમણે બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. જ્યારે વિવાહિત મહિલાઓ સંભોેગ કરતી હોવાથી બ્રહ્મચર્યમાં 'અપવિત્ર' ગણાય છે. જોે તેઓ દેવાિધદેવની પૂજા-અર્ચના-પ્રાર્થના કરવા ઈચ્છતી હોય તો તેમણે શિવલિંગથી દૂર રહીને, તેને સ્પર્શ્યા વિના જ હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. સાચી આસૃથાથી કરેલી પ્રાર્થના પ્રભુ અવશ્ય સ્વીકારે છે.

- એકતા
[http://gujaratsamachar.com/index.php/articles/display_article/married-woman-for-shivling-untouchable માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.