વેબ સરિતા: 07/26/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday 26 July 2014

પરિશ્રમ એ જ પારસમણિ - ભીખાભાઇ .બી પટેલ

Image result for inspire work pix

                  उधमेन हि सिध्यन्त कार्याणि न मनोरथै ।

                 न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

                                    (हितोपदेश)

કર્મમાં સફળતા ઉદ્યમ કરવાથી જ મળે છે.તરંગી વિચારો કરવાથી નહીં. સિંહ સૂતો જ રહે તો એનો શિકાર થનારાં મૃગ કાંઈ આપમેળે એના મુખમાં આવી પડતાં નથી.

        સંસ્કૃત સુભાષિતમાં ઉદ્યમ(પરિશ્રમ)નો મહિમા વર્ણવ્યો છે. ઉદ્યમ/પરિશ્રમ વિના સફળતા,સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.સિંહ વનનો રાજા હોવા છતાં પણ ખોરાક માટે ઉદ્યમ/ પરિશ્રમ/શ્રમ તો કરવો જ પડે.

    એક કવિ કહ્યું છે કે

મનના મહેરામણમાં મૌક્તિક મેળવનાર મરજીવો એટલે ઉદ્યમ/ પરિશ્રમ.

કમકને ઘસીએ તો તણખો તો થાય,પણ પડી રહેવા દઇએ તો ધૂણી એ ન થાય.

પવનની સામે થઇને પતંગ ઊંચે ચઢે છે.

         આમ મનુષ્યે જીવનજીવવા ધરતી પર નક્કર પગ રાખી સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ. ઉદ્યમ/પરિશ્રમ એ જ સિદ્ધિનું સોપાન છે.

        બાઇબલમાં પણ ઉદ્યમ/પરિશ્રમ નો મહિમા વર્ણવ્યો છે.- 

“ With out work you should not  take food.”

Image result for smart work pix

          ભાગવદ્ ગીતામાં પણ ઉદ્યમ/પરિશ્રમનો મહિમા વર્ણવ્યો છે

                      कर्मण्यवाधिकऱस्ते मा फलेषु कदाचन ।

 “કર્મમાં (ઉદ્યમ/પરિશ્રમ/કામકરવાનો જ તારો અધિકાર છે. ફળ વિશે તે કદી નહીં.સુવર્ણ અક્ષરોમાં લખાયેલું વાંચીએ તો ….

   જ્ઞાન એ જ શકિત” – પ્રાચીનયુગનું

    બળિયાના બે ભાગ”,મારે તેની તલવાર” –મધ્યયુગનું

    “પૈસો એ જ પરમેશ્વર” – આધુનિકયુગનું પેરકબળ રહ્યું છે.

 પણ વિશ્વવિગ્રહો પછી અનેક વિપરિત પરિસ્થિતિઓને કારણે માનવજીવનમાં એક નવા પ્રેરકબળને જન્મ આપ્યો અને તે છે, – શ્રમ”, ”શ્રમ એ જ શકિત

                પરિશ્રમ એ જ પારસમણિ”- સૂત્ર પ્રચલિત બન્યું.

                       “ સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય

                       પરિશ્રમ વિના પ્રારબ્ધ પાંગળું છે

      આ પંકિતઓનો અર્થ-વિસ્તાર લખતાં વિદ્યાર્થીઓ પોતાની જાતને શ્રમનું ગૌરવ સમજી હાંસે….. હાંસે …. પંક્તિને સમજાવે છે.શ્રમ પ્રત્યેની પોતાની સમજ/સૂજ/ આવડતનું શબ્દોમાં પ્રદર્શન કરે છે.

         વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જૂદી જ પરિસ્થિતિ છે. વિદેશમાં ઉદ્યમ/પરિશ્રમ/કામનું ગૌરવ કરવામાં આવે છે. પ્રત્યેક વ્યક્તિ ભલેને શિક્ષિત હોય તો પણ  પોતાનું કામ જાતે જ કરી લે છે. આપણા દેશના યુવાનો પરદેશમાં જઇને ઉદ્યમ/પરિશ્રમ/શ્રમ કરવામાં શરમાતા નથી. સ્વદેશની મુલાકાતે આવે ત્યારે ઘરનું કે બહારનું કામ કરતાં સંકોચ અનુભવે છે.

       જગતમાં ધર્મોએ,ધર્મગુરુઓએ, સંતો ,મહાનપુરુષોએ,  શ્રમનો મહિમા મુકત કંઠે ગાયો છે અને વર્ણવ્યો છે. હિન્દુધર્મની ભાગવદ્ ગીતમાં,મસ્લિમધર્મના કુરાનમાં અને ખ્રિસ્તીધર્મના બાઇબલમાં

પરિશ્રમ એ જ પારસમણિ ને પ્રાધાન્ય આપ્યું છે.

       મહાત્મા ગાંધી,સરદાર વલ્લભભાઈ,વિનોબાભાવે.પૂજ્ય રવિશંકર મહારાજ અને બબલદાસ મહેતા એઉદ્યમ/પરિશ્રમ/કામમાં કેટલી તાકાત છે,તે પોતાના શ્રમ થકી ઉદાહરણ પુરા પાડયા છે. બબલદાસ મહેતાએ પછાત એવા મેસરા ગામને ઈતિહાસના પાના ઉપર મુકયું. પૂજ્ય રવિશંકર મહારાજ દેશના અનેક લોકોના જીવનમાં બદલાવ લાવ્યા.

    ઉદ્યમ/પરિશ્રમ/કામ/શ્રમ વ્યકિતનું અને દેશનું સ્વરૂપ/રૂપ બદલી શકે છે !

       બીજા વિશ્વયુદ્ધ પછીનું અને હાલનું જાપાન  એ શ્રમનું પરિણામ છે.

      શ્રમ થી તન-મન તંદુરસ્ત રહે છે,સાથેસાથે ધન પણ તંદુરસ્ત રહે છે,

                    મનુષ્ય સ્વાલંબી જીવન જીવી શકે છે.

  દેશની દરેક વ્યકિતએ ઉપરોકત ઉકિતને જીવનમાં ઉતારે તો પોતાનું અને રાષ્ટ્રનું અર્થતંત્રમાં ચોકકસ બદલાવ આવેઆવે અને આવે જ.

           કઠોર/સખત ઉદ્યમ/પરિશ્રમ/કામ/શ્રમનો કોઇ વિકલ્પ નથી.

[http://gnansarita.wordpress.com/ માંથી સાભાર]



Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 26 July 2014

માતૃપ્રેમ - ભીખાભાઇ પટેલ



મ-૨

મા તે મા

વાત્સલ્યમૂર્તિ જનની

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

અર્પી દઉં સો જન્મ એવડું મા ! તુજ લેણું !

મારી બા

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! 

અનન્વય અલંકારમાં કહીએ તો

   વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ .

 એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી !

    જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે મા ’ ,‘ બા છે.

         કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે  પોતાની કવિતામાં કહ્યું છે કે,

જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે……. જનનીની જોડ

     બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનારમાતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર

માતાને જો ઈશ્વરે પેદા  જ ના કરી હોય તો આપણું શું થાત ?  સાચે જ, જગતમાં સૌ સગાસ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે.

     કવિ પ્રેમાનંદે સાચુ જ કહ્યું છે કે,

ગોળ વિના મોળો કંસાર,માતા વિના સૂનો સંસાર.

એ પંક્તિ સાર્થક કરતી માતા સંતાનની માત્ર જન્મદાત્રી જ નથી, એમનું જીવની પેઠે જતન  કરનારી જનેતા ને સંસ્કારધાત્રી પણ છે. માતા એ સંતાનના જીવન અજવાળાનો અવતાર પણછે.માટે એમ પણ કહેવાયું છે કે 

 ઘોડે ચડતો બાપ મરજો પણ દરણાં દરતી મા ન મરજો.

             આખા જગતનો આધાર માતાની આગળી છે.એની આંગળીમાં કવિ હરીન્દ્ર દવે કહે છે  તેમ અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો  એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે.

મ-૪      મ-૫         માશબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એનાપોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી.કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ?

મા તે માબીજા બધા વગડાના વા.

     જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે,

એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.

માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી  સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે.

જે કર ઝૂલાવે પારણું, તે જગ પર શાસન કરે

   વનરાજને ગુણસુંદરીએ,સિદ્ધરાજને મિનલદેવીએ,શિવાજીને જીજીબાઇએ, સરદાર વલ્લભભાઇને લાડબાએ અને ગાંધીજીને પૂતળીબાઇ એ જે સંસ્કારનું સિંચન કર્યું  છે તે કોઇથી  અજાણ્યું નથી ! 


  મ-૩ દુઃખો વેઠીને,પેટે પાટાબાંધીને,પોતાનાં જીવનનું જતન કરીને,રાત-દિવસપુત્રના  હિત અને કલ્યાણનો જ વિચાર કરનારી માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે    તિરસ્કાર,સહારાને બદલે અપમાન. અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને  પુત્ર કહેવો કે પથ્થર ?

                છતાં માતાના મુખમાંથી સંતાન માટે ખમ્મા મારા દિકરા એ વેણ સરી જ પડે.   કવિએ કહ્યું છે કે,

છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.

ધન્ય છે મા તને !

અર્પી દઉં સો જન્મ એવડું મા,તું જ લહેણું

- કવિ મલબારી

માતાના ઋણને ચૂકવવા જન્મો ના જન્મો જતાં રહે તો પણ આપણે તેને પૂર્ણ કરી શકવાના નથીનથી….ને….નથી.

માતાના ચરણ તળે જ સ્વર્ગ છે કુરાનમાં કહ્યું છે.

 માતૃપ્રેમ પર અનેક નામિ-અનામિ કવિઓ અને લેખકોની ઉક્તિઓ સાહિત્યમાં લખાઇ છે.

(૧) માતાએ માતૃવાત્સલ્યની મીઠી વીરડી છે.

(૨) માતાએ બાળકના જીવનનું સર્વોત્તમ અમી છે.

(૩) માતાએ મમતાની અને ત્યાગની મૂર્તિ ,સહાનૂભુતિની દેવી છે.

(૪) ભૂલો ભલે બીજૂ બધુ માબાપને ભૂલશો નહી.

(૫) એક ત્રજવામાં માને બેસાડો બીજા ત્રાજવામાં આખી દુનીયાને મૂકો છતાં માનું પલ્લુ નમતુ રહે છે.

(૬) ભાઇ મરે ભવ હારી એ,બેની મરે દશ જાય.

(૭) જેના નાનપણમાં મવતર મરે એના ચારે દિશાના વાયરા વાય.

(૮) તુ કિતની અચ્છી હૈ.. તુ કિતની ભોલી હૈ..  ઓ મા..મા તું ભગવાનથી ઉપર છે.

(૯)  મા તારું  મેઝીક સૌથી અલગ છે.

(૧૦) પ્રેમની ગંગા આસું બની આંખમાંથી  ટપકે છે;તો કયારેક ધાવણ બનીને માતાનાં હૃદયમાંથી ટપકે છે.

(૧૧) જનનીના હૈયામાં પોઢતાં પોઢતાં પીધો કસુંબીનો રંગ.

(૧૨) જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપિ ગિયસે .

(૧૩) હેન્ડ ધેટ રોક ધ ફેટલ રૂરલ ધવલ.

(૧૪) જેકર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે.

(૧૫) મધર ઇઝ નેક્ષટ ગોડ (માતાએ બીજો ભગવાન છે. )   

[http://gnansarita.wordpress.com/ માંથી સાભાર]

            




Posted By: http://web-sarita.blogspot.com/

આપણા ઉત્સવો અને તહેવારો - ભીખાભાઇ પટેલ



  Image result for Divali fastival india pix
उत्सवप्रियः जनाः । લોકો ઉત્સવપ્રિય હોય છે. જીવતા ઉત્સવો અને જીવતા તહેવારો”- કાકાસાહેબ કાલેલકર.આમ ઉત્સવો અને તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબંધ સદીઓથી બંધાયેલો રહ્યો છે. ભારતના દરેક ઉત્સવો અને તહેવારો પાછળ કોઇને કોઇ સાંસ્કૃતિક,ધાર્મિક,સામાજિક કે રાજકિય માહાત્માં જોડાયેલા છે. રોજિંદા અને સતત શ્રમથી માનવ જીવન કંટાળા સ્વરૂપ,નિજીવ ન બની જાય માટે ઉત્સવોની ઉજવણી જરૂરી છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં પરિવર્તન લાવે છે. ઉત્સવો અને તહેવારો માનવજીવનમાં આનંદ,રાહત અને સુખચેનમાં વધારો કરે છે. માનવ જીવનને જીવવાયોગ્ય એક અમૃતતત્ત્વ અને સંજીવની  છે.
        આપણે ત્યાં ત્રણ પ્રકારના તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. (૧) ધાર્મિક તહેવારો (૨) સામાજિક તહેવારો (૩) રાષ્ટ્રીય તહેવારો
         ધાર્મિક તહેવારો માં દીપોત્સવ(દિવાળી)નવરાત્રીશિવરાત્રી, હોળીરામનવમીજન્માષ્ટમીગણેશચતુર્થીનાતાલબકરીઈદરમજાનઈદમહોરમપતેતી,  નાનક જ્યંતીબૌદ્ધ જયંતીપર્યુષણપર્વ.
 દિવાળી એટલે આશા.ઉલ્લાસ અને નવચેતનાનું પર્વ.
 નવરાત્રી નવ દિવસ દુર્ગાપૂજા,શક્તિસ્વરૂપા અંબા-બહુચર-મહાકલી આરાધના અને રાસ-ગરબા ગાવાનું મહત્વ.
 હોળી- તો રાષ્ટ્રીય ચેતનાનું પર્વ.અનિષ્ટોનો નાશ અને ભકતપ્રહલાદની યાદ
રમજાઈદ,મહોરમ પવિત્રતાનું પર્વ..
 સામાજિક તહેવારો  મકરસંક્રાંતિ,રક્ષાબંધન,ધૂળેટી,શરદોત્સવ અને આનંદમેળાઓ આ બધા ઋતુવિષયક તહેવારો છે.
 મકરસક્રાંતિ એટલે દિવસનો રાત્રીપર વિજ્ય અને દાનપુણ્યનું પર્વ.
 રક્ષાબંધન ભાઇ બહેનનો અનન્ય અને અમર પ્રેમનો તહેવાર
 રાષ્ટ્રીય તહેવારો સ્વાતંત્ર્ય દિન, પ્રજાસ્તાક દિન,શહિદ,ગાંધી જયંતી વગેરે.
 ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગષ્ટ રાષ્ટ્રીયભવનાનું પર્વ.
ભારતના તહેવારોની  ઉજવણી પાછળ વૈજ્ઞાનિક ર્દષ્ટીબિંદુ સાથે ઋતુવિષયક, એનું ચોક્કસ આયોજન,કોઇને કોઇ વાર્તા કે ઈતિહાસ રહેલો છે. ધાર્મિક તહેવારો લોકોને ભક્તિના માર્ગે   દોરવાના, સામાજિક તહેવારો લોકોમાંપ્રેમભાવ,સ્નેહ,સામાજિકસેવાઓના માર્ગે દોરવાના, રાષ્ટ્રીય તહેવારો પ્રજામાં રાષ્ટ્રભાવના જગાવામાં મહત્વનો ભાગ ભજવે છે. કાકાસાહેબના શબ્દોમાં કહીએ તો તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીયે છીએ,વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ,ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ.તહેવારો આપણા ભેરું છે.
              તહેવારો અને ઉત્સવોની પરંપરા ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે.સાથે સાથે એનું પોત પણ જળવાઈ રહે તે પણ અગત્યનું છે. શૈક્ષણિકસંસ્થાઓ, સામાજિકસંસ્થાઓ,સંગઠનો ની આ એક વિશિષ્ટ જવાબદારી પોતાને શિરે ઉપાડી લેવી પડશે. દરેક સંસ્થાઓ કે સંગઠનોએ ધર્મના મૂળભૂત મૂલ્યોને ધ્યાનમાં રાખીને તહેવારો ની ઉજવની કરે તે જરૂરી છે.
             ભારતના ગામડાઓમાં આજે પણ તહેવારો અને ઉત્સવોની સાત્વિકતા ની પરંપરા અને પવિત્રતા જળવી રાખી છે. તહેવારો પાછળનો મૂળ આશય,હેતુ કે કારણ વિસરાઈ ન જાય,પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિક મૂલ્યો ટકી રહે તે મહત્વનું છે. શહેરોમાં ઉત્સવો અને તહેવારોને તમાશાનું સ્વરૂપ આપી દીધું છે. વૃદ્ધો,બીમાર,વિદ્યાર્થીઓ,પ્રજાને અવરોધરૂપ થાય તેવી રીતે ઉત્સવો અને તહેવારોની ઉજવણી ન કરવી. ખોટા દંભો,દેખા-દેખી,ભભકો અને આડંબર પ્રજાના જીવનને છિન્નભિન્ન કરી નાખે છે.
[https://gnansarita.wordpress.com/ માંથી સાભાર]


Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.