માત્ર 4 પંક્તિઓ... આપે છે જોરદાર માઇન્ડ પાવર અને સક્સેસ વેબ સરિતા વેબ સરિતા: માત્ર 4 પંક્તિઓ... આપે છે જોરદાર માઇન્ડ પાવર અને સક્સેસ
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 7 August 2014

માત્ર 4 પંક્તિઓ... આપે છે જોરદાર માઇન્ડ પાવર અને સક્સેસ

 
આજના યુગમાં માણસના જીવન ઉપર ભૌતિકવાદ અર્થાત્ સુખ-સુવિધાઓ, વૈભવની લાલસા, અતિ મહત્વાકાંક્ષાઓ એટલી હાવી થઈ છે કે ઇચ્છા-અનિચ્છાએ દરેક માણસ તેનાથી પ્રભાવિત થયા વગર નથી રહેતો. જેનાથી જીવન સાથે જોડાયેલી ભાવનાત્મક પક્ષ દરકિનાર થઈ જાય છે. જ્યારે ધર્મની દ્રષ્ટિએ સુખી અને શાંત જીવન માટે ભાવનાઓ અને ભૌતિકવાદની વચ્ચે યોગ્ય તાલમેળ જરૂરી છે.

માણસ પછી પરિવારમાં રહે, સમાજમાં કે કાર્યક્ષેત્રમાં સુખ-સુવિધાઓનો મોહ, સ્વાર્થ કે અતિમહત્વાકાંક્ષાઓને લીધે સંવેદાનાઓ અને ભાવનાઓથી દૂર ન જાય. કારણ કે ભાવનાઓ જોડનારી હોય છે, જેનાથી પારિવારિક અને સામાજિક દાયિત્વો અને કાર્યોને લક્ષ્યોને પૂરા કરવા ખૂબ જ આસાન થઈ જાય છે.

સારા-ખરાબ વિચારોને નિરંતર ઊતાર-ચઢાવ લાવનાર સ્પર્ધાના આ દોરમાં પણ ભાવનાઓની એવી જ તાકાત આપે છે, ધાર્મિક કર્મના છેલ્લા બોલાતી 4 પંક્તિઓ, ધર્મ ભાવોથી ઓતપ્રોત આ માત્ર ચાર પંક્તિઓ વ્યાવહારિક જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ સમય, સુવિધા અને ખરાબ વિચારોથી છૂટકારા પ્રાપ્ત કરવાનો ખૂબ જ સરળ ઉપાય પણ છે. જાણો આ 4 પંક્તિઓ....

धर्म की जय हो,

अधर्म का नाश हो,

प्राणियों में सद्भाव हो,

विश्व का कल्याण हो।


આ પંક્તિઓમાં ધર્મની મહિમાને ઊજાગર નથી કરતી, પણ સફળતા માટે મનોબળને ઊંચો પણ કરે છે. કારણ કે તેમાં ધર્મનો જયકાર કાર્યની પ્રત્યે સત્ય, નિષ્ઠા, સમર્પણ તો અધર્મથી દૂરી ઈર્ષા, દ્વેષ, સ્વાર્થથી પર થવા માટે સંકલ્પિત કરે છે. ત્રીજી પંક્તિ સદભાવ અર્થાત્ મેળાપથી કામ અને જીવનને સાધવાનું સૂત્ર. કાર્યક્ષેત્રમાં આ ટીમ વર્ક પણ કહેવામાં આવે છે. કલ્યાણ અર્થાત્, પહેલી ત્રણ વાતોનો સંકલ્પની સાથે અપનાવવાથી લક્ષ્યને જોરદાર રીતે ભેદી અને સફળતાની ઊંચાઈઓ પાર કરવી નક્કી હોય છે.

[http://religion.divyabhaskar.co.in/ માંથી સાભાર ]
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.