વેબ સરિતા: August 2014
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday 30 August 2014

ગણેશ ચતુર્થી કેમ ઉજવાય છે ? -વેબદુનિયા


ભારતીય સંસ્કૃતિના સુસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે. 

શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. 

શ્રીગણેશ ચતુર્થીનું વ્રત  શ્રીગણેશ ચતુર્થી, પત્થર ચોથ અને કલંક ચોથના નામે પણ ઉજવવામાં આવે છે. આ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. તૃતીયા તિથિનો ક્ષય થવાને કારણે દ્વિતીયા યુક્ત ચતુર્થીમા આ વ્રત કરવામાં આવશે. ચતુર્થી તિથિના રોજ શ્રી ગણપતિની ઉત્પત્તિ થઈ હતી. 

કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. આ તરફ પાર્વતીએ પોતાના ઉબટનમાંથી એક પૂતળુ બનાવી તેમા પ્રાણપ્રતિષ્ઠા કરી તેનું નામ ગણેશ રાખ્યું અને તેને ગુફાની બહાર બેસાડી દીધા. થોડા સમય બાદ ભગવાન શંકર આવ્યા તો તેમને ગણેશે અંદર જતા અટકાવ્યા. આથી ભગવાન શંકર ક્રોધિત થયા અને ગણેશનું માથું કાપી નાખ્યું. પાર્વતી શિવને સામે જોઇને દંગ રહી ગયા.

જ્યારે શિવે સમગ્ર વાત કહી સંભળાવી તો પાર્વતી વિલાપ કરવા લાગી અને બોલી કે તે તો મારો પુત્ર હતો. હવે તમે કેમેય કરીને મારા પુત્રને જીવીત કરો. ભગવાન શંકર ધર્મસંકટમાં પડી ગયા, આ તો પ્રકૃતિ વિરુદ્ધનુ કાર્ય છે, પણ માતા પાર્વતીની જીદ. બરાબર તે જ સમયે એક હાથણીને પ્રસવ થયો હતો. શંકરજીએ તે હાથણીના બચ્ચાનું માથું કાપીને ગણેશને લગાડી દીધું. આ રીતે ગણેશજીનો પુનર્જન્મ થયો.

આ ઘટના ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે બની. આથી આ દિવસથી ગણેશજીનું વ્રત શરૂ કરવાનું મહત્વ છે. આ વ્રત કરવાથી બુદ્ધિ વિકસિત થાય છે, તમામ સંકટો હટી જાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.`

[http://gujarati.webdunia.com/ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 30 August 2014

Sunday 24 August 2014

લગ્નની વ્યાખ્યા બદલાય છે….– અવંતિકા ગુણવંત

શાસ્તા અને તન્વય , લગ્ન થયાં ત્યારે બેઉ આસમાનમાં ઊડતાં હતાં. તન્વય સગર્વ કહેતો. ‘મારે જોઇતી હતી એવી જ પત્ની મને મળી, ભણેલી ગણેલી, પ્રોફેશનલ ડિગ્રીવાળી ઉપરાંત એની લાઇનમાં આગળ વધેલી’
શાસ્તા કહેતી હતી, ‘મને સમજી શકે, મારી કદર કરી શકે ને મારી કેરિયર ખીલવા દે એવો પતિ મારે જોઇતો હતો. તેથી તો આટલાં વરસો સુધી રાહ જોઇ. અંતે મારી પ્રતીક્ષા સાર્થક થઇ ગઇ.’
બેઉ એકબીજાને કહેતાં,’આપણે અન્યોન્ય માટે જ સર્જાયાં છીએ. આપણું જીવન એક આદર્શ જીવન હશે – સુખ અને સુંદરતાથી છલકાઇ જતું.’ બેઉ સમાન સ્વપ્નો જોતા હતાં. પણ એમનાં આ સ્વપ્નાં સાકાર નાં થયાં. એકાદ બે મહિનામાં જ એમના પ્રેમના મહેલમાં તિરાડો પડવા માંડી. ગીત-સંગીતના સ્થાને ઘાંટાઘાંટા અને ફૂંફાડા સંભાળાવા માંડ્યાં.
શાસ્તાની મોડા ઊઠવાની ટેવ, બહાર જવાની વખતે જ નહાવાની ટેવ, મન થાય ત્યારે જ રસોડામાં જવાની ટેવ, ઘડિયાળના કાંટે નહીં પણ મૂડ પ્રમાણે કામ કરવાની આદત તન્વયને ના ગમે. તન્વય શિસ્તબદ્ધ શૈલીમાં ઊછર્યો હતો. તેથી એ કચકચ કરતો, તો શાસ્તા કહે, ‘તારે દસ વાગે જમવાનું જોઇએ છે ને, ત્યારે તને મળી રહે છે, પછી હું રસોડામાં સાત વાગે પેસું કે નવ વાગે, તું શું કામ ચિંતા કરે છે?’
‘પણ મમ્મી તો સવારથી રસોડમાં જ હોય છે.’ તન્વય દલીલ કરતો.
‘મેં મમ્મીને કહ્યું છે, હું રસોઇ કરીશ. મેં જવાબદારી લીધી પછીય તેઓ રસોડામાં જાય તો હું શું કરું ?’
‘પણ તું મોડે સુધી બહાર બેસી રહે તો એમનો જીવ કેમ ઝાલ્યો રહે ? સવારે તો રસોડું સંભાળવું જ જોઇએ !’
‘રસોડું નહી રસોઇ; અને હું ક્યારે એ શરૂ કરું, કેવી રીતે કરું એ મારી પર છોડી દેવાનું હોય, તમારે તો ખાવા સાથે જ મતલબ રાખવાનો હોય.’ શાસ્તા કહેતી.
શાસ્તાની વાત સાચી હતી પણ પોતાની મમ્મી વરસોથી જે કાર્યપદ્ધતિથી ટેવાઇ ગઇ હોય એ રીતે શાસ્તા અનુસરે એવો તન્વય આગ્રહ રાખે ને શાસ્તાને એ વાત સ્વીકાર્ય નહીં. એ એની રીતને જ વળગી રહે. આમ મતભેદ ની શરૂઆત પછી તો શાસ્તાના દરેક કામમાં સાસુને ખામી દેખાવા માંડી ને એમનો બડબડાટ શરૂ થઇ ગયો.

દાળ બરાબર ઊકળી નથી, કયાંથી ઊકળે ? નવ વાગે તો કૂકર મુકાય છે. રોટલી ચવડ છે. શાક સરખું સીજ્યું નથી. રાયતું હજી બનાવ્યું નથી ? કચુંબરમાં લીંબુ નિચોવ્યું ને ! મને ખબર જ હતી. મન વગરનાં કામમાં ભલીવાર જ શું હોય ?’ શાસ્તાની રસોઇ માં ખામી કાઢવાની જ એવો ઘરનો જાણે નિયમ થઇ પડ્યો હતો. શાસ્તા રસોઇમાં બેદરકાર ન હતી, પરંતુ એના પિયરના અને અહીંના ટેસ્ટ અલગ હતા, રીત અલગ હતી તેથી એ નિખાલસતાથી કહેતી, ‘અહીંની રીત હાથે ચડતાં થોડી વાર તો લાગે ને !’ ‘વાર શું, તને રસોઇમાં રસ જ નથી.’ તન્વય તાડૂક્યો. તન્વય શાસ્તાને સમજવા પ્રયત્ન કરતો જ નહીં. શાસ્તા ડઘાઇ જતી. જે તન્વયને હું સંસ્કારી સમજતી હતી એ આવા સૂરે બોલે ? મારું અપમાન કરે ? સાસુ – સસરા બોલે તો એ જૂની પેઢીનાં છે એમ સમજી ને ચલાવી લેવાય. પણ તન્વયથી તો આમ બોલાય જ કેવી રીતે ? એણે તો બેઉ પક્ષ વચ્ચે સમતોલન રાખવું જોઇએ. બેઉને સાચવવા જોઇએ.
શાસ્તા ચા બનાવવા જતી હોય તોય તન્વય મોટેથી બોલે, ‘ચા બનાવજે.’ આ સાંભળે ને શાસ્તાનું મગજ ફરી જાય. એ કંઇ જવાબ આપતી નહી, પણ મોં પર ચોખ્ખો અણગમો પ્રદર્શિત કરતી. એના મનોભાવ જોઇને શાંત રહેવાના બદલે તન્વય બોલે જતો, ‘પાણી જેટલું જ દૂધ નાખજે, આદુ છે ને ? આદુ ના હોય તો એલચી નાખજે. બરાબર ઉકાળજે.’
ઓહો, એકસામટી આટલી બધી સૂચનાઓ ? ઘરમાંથી આવી સૂચનાઓ આ પહેલાં અપાઇ તો ગઇ જ છે, છતાં તન્વય શું કામ આવું બધું કહે છે ? એનાં મમ્મી પપ્પા ને ખુશ કરવા ? એ મારી પર હુકમ કરી શકે છે એવું બતાવવા ? તન્વય આટલો સામાન્ય છે ! શાસ્તા ખીજવાઇ ઊઠતી. એ તન્વયને કહેતી, ‘ તારા મોં એ આવું શોભતું નથી. નોકરનેય કોઇ વારંવાર સૂચના નથી આપતું અને આજે મારો આ પહેલો દિવસ નથી. તમારા ટેસ્ટ મુજબની ચા હું બનાવું છું એ તું જાણે છે.’
‘મેં તને કહ્યું ને તે સાંભળ્યું એમાં તારું કંઇ બગડી ગયું ? તું નાના બાપાની થઇ ગઇ ?’ તન્વય રુક્ષતાથી બોલ્યો.
આવી થર્ડક્લાસ ભાષા ? શાસ્તા સ્તબ્ધ થઇ ગઇ. એના ઘરમાં કોઇ આવી રીતે બોલતું નહીં. સંસ્કારી વિસ્તારમાં એનું ઘર હતું તેથી આવી તોછડાઇવાળી ભાષા કદી સાંભળી ન હતી. તે કંઇ બોલી નહીં. આવા સવાલનો શો જવાબ આપવાનો ? હવે તન્વયના અવાજમાં વારંવાર પુરુષનો હુંકાર સંભળાવા માંડ્યો. જાણે એ શાસ્તાને સતત યાદ દેવડાવા માંગતો હોય કે આ ઘરમાં તન્વયની ઇચ્છા પ્રમાણે જ બધું થાશે. શાસ્તાએ એ કહે એમ જ કરવું પડશે.
શાસ્તાએ પુરુષોની આ ગ્રંથિ વિશે ઘણું સાંભળ્યું હતું. સરખેસરખી બહેનપણીઓ તો હસતાં હસતાં કહેતીય ખરી કે હા એ હા કરવાનું પછી આપણું ધાર્યું કરવાનું, થોડું ફોસલાવતાં શીખી જવાનું. એની મમ્મીએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે ‘પુરુષ પોતાનો કક્કો ખરો કરવા માંગતો હોય ત્યારે મૌન જ રહેવું. કોઇ દલીલ ના કરવી. જો ને આ ઉંમરે આટલાં વરસો પછીય હું જ્યારે તારા પપ્પા આગ્રહપૂર્વક કંઇ કહેતા હોય ત્યારે ચૂપ જ રહું છું ને !’ શાસ્તાને માની આ શિખામણ બરાબર યાદ હતી છતાંય એ તન્વયને આટલું તો કહી જ કાઢતી કે, ‘ધીમે બોલેલું મને સંભળાય છે, એક વાર સાંભળેલું મને યાદ રહે છે.’
આવું સાંભળે ને તન્વય ગુસ્સાથી રાતોપીળો થઇ જતો. આમે એ ઝટ ગુસ્સે થઇ જતો ને આવેશમાં આવીને પોતે શું બોલે છે એનું ભાન રહેતું નહીં, ક્યારેક તો સામાન્ય વિવેક, રીતભાત ભૂલીને ડોળા કાઢતો, હાથ ઉગામીને શાસ્તાને ડરાવવા પ્રયત્ન કરતો. પછી તો શાસ્તા પોતાનો સંયમ છોડી ને ઇંટનો જવાબ પથ્થરથી આપતી. ઘડીકમાં વાતાવરણ ભારેલા અગ્નિ જેવું થઇ જતું. ઘરમાં બધાં ખળભળી ઊઠતાં. ઘરમાં સાસુ – સસરા પરંપરાગત ખ્યાલોવાળાં હતાં. તેઓ તો દ્રઢપણે માનતાં હતાં કે પત્નીએ પતિ કહે એમ કરવું જ જોઇએ. પતિની સામે બોલવું એ સંસ્કારની ખામી જ ગણાય. એમને શાસ્તા તરફ અણગમો આવી ગયો. શાસ્તા તરફના એમના વ્યવહારમાંથી હેતને ઉષ્મા અદ્ર્શ્ય થઇ ગયાં. તેઓએ શાસ્તાથી અળગા રહેવા માંડ્યું.
તેઓએ તન્વયને કહેવા માંડ્યું, ‘શાસ્તા વધારે પડતી આઝાદ છે, એની પર તો કડકાઇ રાખવી જ પડે. એ કમાય છે તો શું થઇ ગયું ? એનો રુઆબ એની ઓફીસમાં. ઘરમાં તો સ્ત્રીએ સ્ત્રીની રીતે જ રહેવું પડે. ભલે ને આજે આ વાતો નાનીને તુચ્છ લાગે પણ એનો આ સ્વભાવ ? – કાલે તો તન્વય, એ તારીયે પરવા નહીં કરે.’
તન્વયે શાસ્તાની વિરુદ્ધ થઇ ગયો. સંવેદનશીલ શાસ્તા માટે આ બધું અસહ્ય થઇ પડ્યું. આવું તો એણે કદી ધાર્યું જ ન હતું. એ વિચારે છે, ‘મારે આટલું બધું દબાતા રહેવાનું ? શું કામ ? શું કામ હું મારી જાતનું શોષણ થવા દઉં ? દામપત્ય જીવનનું આટલું બધું મૂલ્ય ચૂકવવાનું ?’
શાસ્તા રડતી, મેં ભૂલ કરી છે, તન્વયને ઓળખવામાં મેં ભૂલ કરી છે. પણ હવે શું ? કોઇ અંતિમ પગલું લેવાની એની ઇચ્છા ન હતી. તૈયારી ન હતી. એ જાણતી હતી કે એના લગ્નમાં ભંગાણ પડે તો એનાં માબાપ ને દુઃખનો પાર ના રહે. અને એમ એ ઝટ નિરાશ થાય એવી ન હતી. તેથી વડિલોની શિખામણ પ્રમાણે એ શાંત રહેતી. ચૂપચાપ તન્વયના ઘરની રીત પ્રમાણે રહેવા પ્રયત્ન કરતી પણ જેમ જેમ એ શાંતિ જાળવવા પ્રયત્ન કરતી એમ એમ એનાં સાસુ – સસરા વધારે જોર કરવા માંડ્યાં. શાસ્તાને પ્રેમથી સહકાર આપવાના બદલે શાસ્તા નોકરડી હોય એમ એને વધારે લાચાર પાડવા લાગ્યાં. હેતપ્રેમ તો શું એમની ફરજ અને વિવેકે વિસરી ગયાં. પરિસ્થિતિ સુધરવાનાં કોઇ ચિહન ન જણાતાં શાસ્તા પિયર જતી રહી. એના મનમાં હતું કે એની ગેરહાજરીમાં તન્વયને એની કિંમત સમજાશે, એની યાદ આવશે અને કડવાશ ઓછી થશે. પણ તન્વય તો શાસ્તાને તેડવા શું એક વાર મળવાય ન આવ્યો. આડકતરી રીતેય સંપર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો. શાસ્તાને માનભેર તેડી લાવવા કે એને મનાવવાની સાસુ –સસરાએ પણ દરકાર ના કરી. વટના સવાલ પર અડગ રહ્યાં.
શાસ્તા પિતાના ઘેર હતી, પણ તન્વય સાથેના અણબનાવના લીધે એ બહુ તંગ રહેતી. કોઇ કામમાં એનું દિલ ચોંટતુ નહીં. ચિડાયેલી ને અકળાયેલી માનસિક સ્થિતએ એનું શરીરે બગડ્યું. શાસ્તા એનું સત્વ ગુમાવવા માંડી. અને એ યંત્રણા રિબામણીથી છૂટકારો મેળવવા એણે છૂટાછેડા લઇ લીધા.
છૂટાછેડા થયા ને તન્વયનાં મા બાપ નું તો જાણે નાક જ કપાઇ ગયું; આબરૂ જતી રહી. તેઓ ધૂંઆપૂંઆ થઇને માત્ર શાસ્તાને જ નહીં સર્વિસ કરતી સમસ્ત સ્ત્રી આલમને બોલવા માંડ્યાં. કહેવા માંડ્યું કે ‘સર્વિસ કરતી છોકરીને ઘરમાં લવાય જ નહીં. એ પૈસા કમાય એની એટલી રાઇ હોય છે કે પોતાના ઘરનેય પોતાનું નથી ગણતી. પોતાના માણસનીય એને પડી નથી હોતી.’ પોતાની વાતના સમર્થનમાં તેઓએ સીધીસાદી દેખાતી, સર્વિસ ન કરતી ઘરેળુ છોકરી કૃતિની વહુ તરીકે પસંદગી કરી. એમને હતું કે કૃતિ બધી રીતે તન્વયને અનુકૂળ થઇને રહેશે. ઘરને સાચવશે પણ એવું ના થયું. કૃતિ ભલે કેરિયર વુમન ન હતી. પણ એને પોતાના ખ્યાલો હતા, અપેક્ષાઓ હતી. જીવન જીવવાની રીત હતી. એમાં બાંધછોડ કરવા એ તૈયાર ન હતી.
તન્વય હકૂમતભર્યા સૂરે એને કંઇ કહે તો મોં પર સખતાઇ લાવીને એ સ્થિર નજરે એની સામે જોઇ રહેતી. એ નજરનો અર્થ વાંચવાના બદલે તન્વય ખિજાઇને બોલતો, ‘તને સંભળાયું નહીં કે મેં શું કહ્યું એ ?’
ત્યારે કૃતિ જરાયે દબાયા વગર નિશ્ચલતાથી કહેતી, ‘સંભળાયું, બરાબર સંભળાયું પણ હું જે સાંભળું એ પ્રમાણે કરવા બંધાયેલી નથી.’
‘એટલે, એટલે તું શું કહેવા માગે છે?’
‘હું કહેવા માગું છું કે તમે તમારી રીતે જીવો. હું મારી રીતે જીવવા ટેવાયેલી છું. એમાં કોઇ ખલેલ પહોંચાડે એ મને પસંદ નથી.’
ગાલ પર તમાચો પડ્યો હોય એમ તન્વય વળ ખાઇ જતો. ગુસ્સામાં એ કૃતિ તરફ ધસી જતો.કૃતિ ડોક ટટ્ટાર કરીને પહેલાં કરતાંય વધારે કડકાઇથી બોલતી. ‘દૂર ઊભા રહો. મને આવેશમાં ભાન ગુમાવી બેસનાર માણસ પસંદ નથી.’
તન્વય ડઘાઇ જતો. ‘આના અવાજમાં તો જરાય નરમાશ નથી. આ તો મોટી સાર્જન્ટ છે. આની સાથે કેમ કરીને રહેવાય ?’ તન્વય મા આગળ હૈયાવરાળ કાઢતો. પૂછતો. ‘મમ્મી, આ તો કેમ સહન થાય?’ મા યે હવે તો પાઠ ભણી ચૂકી હતી. નવી પેઢીના બદલાતા આચારવિચારથી માહિતગાર થઇ ચૂકી હતી. એ કહેતી, ‘ બેટા, હવે તો સમય બદલાઇ ગયો છે. આજકાલની છોકરીઓ છોકરાઓ કરતાંય વધારે મિજાજી થઇ ગઇ છે, એ કોઇની દાબી નથી દબાતી. એમની રીતે જ વર્તે છે. એ કોઇને ગાંઠતી નથી.’
તન્વય કહેતો, ‘ પણ આના કરતાં તો શાસ્તા સારી હતી. કેટલીય વાર એ ગમ ખાઇ જતી. કોઇ વાર નાહકનો હું ગુસ્સે થઇ જતો તો’યે એ મારું અપમાન નહોતી કરતી. વિવેક ભૂલતી નહીં. એ રડતી પણ રિસાતી નહીં કે મનમાં ડંખ રાખતી નહીં. એ મારો, આપણા બધાંનો વિચાર કરતી.’
‘હા, સુમેળ સાધવા તરફ એનું વલણ રહેતું. એ કદી મહેણાં મારતી નહીં કે કટાક્ષમાં બોલતી નહીં. ઘરની વાત બહાર કરતી નહીં.’
‘એ આપણી રીતે રહેવા પ્રયત્ન કરતી હતી. પાછળ થી તો એ કેટલી ઢીલી થઇ ગઇ હતી. પોતાની જીદ અને આગ્રહ સાવ છોડી દીધાં હતાં.’ તન્વયના પિતા બોલ્યા.
‘આપણે થોડુંક સમજ્યાં હોત તો એ જતી ના રહેત. આપણે થોડી છૂટ મૂકવા જેવી હતી.’
ઘરમાં દરેક ને હવે શાસ્તાના ગુણ અને પોતાનાં વાંક દેખાવા માંડ્યા. તન્વયને તો પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. એ જીવ બાળતો કે પોતાની ભૂલ, અણસમજ અને નાદાનીના લીધે સદગુણી સોનાની પૂતળી જેવી શાસ્તા ગુમાવી. હવે એ દરેક વાતમાં કૃતિને શાસ્તા સાથે સરખાવતો ને એને કૃતિમાં દોષ અને ઊણપો જ દેખાવા માંડ્યાં. કૃતિ એના મનમાંથી ઊતરવા માંડી. એનું અસંતુષ્ટ મન કૃતિ સાથે ઝઘડી પડતું. એ એવા ઝનૂનમાં રહેતો કે ઘડી પછીય કૃતિને સોરી કહીને વાતાવરણ હલકું કરવાનું સૂઝતું નહીં. કૃતિ પણ શાસ્તાની જેમ છોડીને જતી રહેશે એવો વિચારે આવતો નહીં. શાસ્તા ગઇ એની અકળામણ, એનો પસ્તાવો બધું કૃતિ પર ગુસ્સારૂપે ઠલવાતું. પરિણામે કૃતિ એ સામે ચાલીને તન્વયને છૂટો કર્યો. કોઇ પૂછે તો એ વગર ખચકાયે કહેતી. ‘તન્વય પૂરો મેચ્યોર નથી. ક્યારેક અસ્થિર મગજનો હોય એવું લાગતું. એનાં સંસ્કારમાં ઊણાં છે. એના ત્યાંનું વાતાવરણ જ એબનોર્મલ છે. ત્યાં રહેવાય જ નહીં.’
આવું બધું ન તન્વય પાસે પહોંચતું ને એ સળગી ઊઠતો. એનું હ્રદય શાંતિ અને શાતા ઝંખતું પણ ક્યાં મળે એ ચેન ? એ રાહત ? એ નિરાંત ? ઘરમાં તો સૂનકાર એણે જ સર્જયો હતો. માબાપ પર હવે અભાવો આવી ગયો છતાં એનું મન પ્રેમપાત્ર તો ઝંખે છે.
ધીરે ધીરે એ પ્રેમપાત્રમાં શાસ્તાની આકૃતિ સ્પષ્ટ થવા માંડી. એના હ્રદય મનમાંથી શાસ્તા માટે પોકાર ઊઠ્યો. એણે માહિતી મેળવી હતી જે શાસ્તાએ ફરીથી લગ્ન કર્યાં નથી. એ તન્વય કે એનાં માબાપ વિશે જરાય ધસાતું બોલતી નથી. એણે વિચાર્યું તો તો શાસ્તાને જરૂર મારા માટે પ્રેમ જળવાઇ રહ્યો છે. કદાચ એ મારી વાટ જોતી હશે, પણ કેવી રીતે જવું એની પાસે ? અપરાધબોલથી એ એટલો પીડાતો હતો કે શાસ્તા પાસે જવાની હિંમત ચાલતી ન હતી.
એક વરસ ગયું, બે ત્રણ ને ચાર વરસ પછી એણે એક સમારંભમાં શાસ્તાને જોઇ. ને એનાં અવઢવ, સંકોચ સરી પડ્યાં. એ ઉતાવળા પગલે સામે ગયો. એનું મો ખીલી ઊઠ્યું હતું. આનંદ અને આશ્ચર્યથી આંખો ચમકતી હતી. પણ સામે જઇને ઊભો ને વાચા હણાઇ ગઇ. શું બોલવું, કેવી રીતે શરૂઆત કરવી ?
પણ એને સામેથી આવેલો જોઇને શાસ્તાએ વિવેકથી પૂછ્યું, ‘કેમ છો?’
’બસ તારી રાહ જોઉં છું.’ પોતાના માનસનો અહેવાલ તન્વયે આપી દીધો. પણ શાસ્તા કંઇ સમજી ના શકી. એને તો તન્વયના પરિવર્તનનો તાગ ન હતો તેથી પૂછ્યું, ‘એટલે ?’
‘હું તને તેડવા આવું ? તું આપણા ઘેર ચાલ. ‘તન્વયે મનમાં ઘૂંટાતી વાત પૂછી કાઢી.
‘હવે એ ઘર મારું ના કહેવાય.’ સંયતસૂરે શાસ્તા બોલી.
‘શાસ્તા, એ ઘર તારું જ છે. હું અને મમ્મી પપ્પા તારી રાહ જોઇએ છીએ. તું ચાલ.’
શાસ્તા ગંભીર અને ધીર પકૃતિની હતી. લાગણીમાં તણાયા વગર એ બોલી, ‘બીજી વાર કેમ એવું થયું ?’ તન્વયના બીજી વારના છૂટાછેડાની એને ખબર હતી.
‘શાસ્તા, સાચું કહું, તું મારી સાથે હતી ત્યારે મને કંઇ ભાન ન હતું કે હું તને કેટલો ચાહું છું, તું મારા ઊંડાણમાં કેટલી ઊતરી ગઇ છે, ત્યારે હું તારી સાથે ઝઘડતો હતો પણ તું ગઇ ને હું પાગલ થઇ ગયો છું. સ્વપ્નમાંય તને જોઉ છું ને મનોમન તારી સાથે વાતો કરું છું. મારા વાંકે જ આપણે જુદાં પડ્યાં. મને સાથે રહેતાં ના આવડ્યું. હું મારી જાતને નફરત કરું છું. હું મારી ભુલો, અણઆવડત કબૂલ કરું છું.’ તન્વય લાગણીવશ બોલે જતો હતો પણ શાસ્તા એ લાગણીના પૂરમાં ઘસડાયા વગર નિર્લેપભાવે બોલી, ‘જુદાં પડ્યાં પછી મોટા ભાગનાં પતિ-પત્ની આવું જ ફીલ કરતાં હોય છે. લગ્નની નિષ્ફળતામાં એમને પોતાનો જ વાંક દેખાય છે.’
શાસ્તાનો આવો અનાસક્ત ઉતર સાંભળ્યા છતાં તન્વય એવા જ આર્દ્રસૂરે બોલ્યો, ‘શાસ્તા, હું જે કહું છું એ સાચા મન થી કહું છું. મને મારી ભૂલ સ્પષ્ટ દેખાય છે, હવે ફરીથી અવું નહીં થાય એનું વચન આપું છું. ચાલ આપણે કોર્ટમાં લગ્ન કરી લઇએ.’
‘તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ બરાબર છે, પણ ફરીથી લગ્ન કરવાને સાથે રહેવા આટલું પૂરતું નથી.’ શાસ્તા એ કહ્યું.
‘તો તું બીજી કોઇ ગેરંટી માંગે છે, કઇ શરત કરવા ઇચ્છે છે ? હું બધા માટે તૈયાર છું.’
‘હું લગ્ન વિશે શું માનું છું એ તો તમે જાણો છો, પહેલી વારે મેં તમને કહ્યું હતું ને આજે પણ એ પ્રમાણે જ માનું છું , કદાચ પહેલાં કરતાં પણ વધારે દ્રઢતાથી, મારી માન્યતા અને આદર્શમાં જરાય ફરક નથી પડ્યો.’
‘તારાં એ માન્યતા અને આદર્શ હવે મારાં થઇ ગયાં છે કે લગ્ન એટલે સ્ત્રીની જિંદગીને પુરુષની જિંદગીના ચોકઠામાં ઢાળી દેવાની નહીં. લગ્ન એટલે હેતપ્રેમ અને સમજપૂર્વકનું સહજીવન. કોઇએ કોઇ પ્રકારનાં આગ્રહ કે અપેક્ષા નહીં રાખવાનાં. બેઉની રીત, માન્યતા, ટેવ, આચારવિચાર, આહાર વિહાર, અલગ અલગ હોઇ શકે.’ મૌખિક પરીક્ષામાં સવાલનો જવાબ આપતો હોય એમ તન્વય કડકડાટ બોલી ગયો.
‘ઓહ, તમને તો બધું યાદ છે. પણ આની સાથે તમે હ્રદયમનથી સંમત થાઓ છો ?’
‘હા, હા, કેમ નહીં ? તારી વાત તદ્દન સાચી છે. દંપતી એવી રીતે જીવે તો જ જીવનમાં વિકાસ સધાય. આવી રીતે જ જીવવું જોઇએ.’ ઉત્સાહ થી તન્વય બોલ્યો.
‘પણ તમે એવી રીતે જીવી શકશો ?’
’હા, હું એવી રીતે જીવવા આતુર છું. શાસ્તા, સો સો વાર હું તને વચન આપું છું. આપણે એ રીતે જ જીવીશું. આપણા વિચ્છેદના અનુભવે મને ઘણું શિખવાડ્યું છે. શાસ્તા, હું ફરી વખત ભૂલ કરવા નથી માગતો. તને મારી પર વિશ્વાસ નથી આવતો ?’
‘તન્વય, સાચું કહું તો હું ફરી લગ્ન કરવાનું વિચારતી જ નથી. એક વખતનાં એ અનુભવે મને એવી છિન્નભિન્ન કરે નાખી હતી, માંડ હું એ બધામાંથી બહાર આવી છું, હવે ફરીથી એ દિશામાં ડગ ભરવાનું સાહસ ના કરી શકાય.’
‘આપણે છૂટાં પડ્યાં ત્યારે તું કેટલી વેદનાગ્રસ્ત હતી એ વખતનો તારો મૂરઝાયેલો ચહેરો હજીય મને બરાબર યાદ છે, એ યાદ આવે છે ને અંદરથી હું કોરાઉ છું. શાસ્તા, તું મને સતત યાદ આવતી હતી, તને હું યાદ નહોતો આવતો ? લાગણીસભર કંઠે તન્વયે પૂછ્યું.
‘વીતી ગયેલી જિંદગી ઝટ ભુલાય તો નહીં ને.’ શાસ્તાના અવાજમાં પણ ભીનાશ હતી.
‘તો તું મને મળવા કેમ ના આવી ? મને એક વાર કહેવડાવ્યું હોત તો ?’ તન્વય સરળતાથી બોલતો હતો. શાસ્તા એને પોતાની લાગતી હતી.
જવાબમાં શાસ્તા માત્ર હસી.
તન્વયે આગ્રહપૂર્વક પૂછ્યું, ‘આપણે ફરીથી ક્યારે મળીશું ?’
શાસ્તા મૌન જ રહે છે. તન્વય આજીજીપૂર્વક કહે જાય છે. ‘શાસ્તા, પ્લીઝ, તું પોઝીટીવ વિચાર કર. તું મળવાનું નક્કી કર. આપણે ફરી મળીશું નહીં તો મનમાં ઊઠતી શંકાઓનું નિરાકરણ કેવી રીતે આવશે ? આપણે એક કેવી રીતે થઇશું ?’
શાસ્તા વિચારે છે કે તન્વય પરિવર્તન પામ્યો છે પણ સાથે રહેતાં ફરી એક વાર એનું અસલી સ્વરૂપ દેખા દે તો ? એ ચલાવી લેવાની મારામાં સહિષ્ણુતા છે ? એક વાર એ લાચારીમાંથી છૂટી છું તો ફરી વાર એમાં સપડાવાની જરૂર ખરી ?
શાસ્તાને વિચારમગ્ન જોઇને તન્વય ફરીથી બોલે છે, ‘તારા મનમાં હજીય શું શંકા છે ?’
‘તન્વય હવે જીવન વિશેની મારી સમજ ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં હું સુખી જીવન માટે લગ્ન અનિવાર્ય, આવશ્યક માનતી હતી. સંસાર, પોતાનો સંસાર રચાય તો જ પરમ સુખ મળે એવાં સંસ્કાર મને ગળથૂથીમાં મળ્યાં હતા. પણ અનુભવે સમજાય છે કે સુખ અનેક પ્રકારનાં હોય છે, સુખી થવાના અનેક માર્ગો છે, ક્યા માર્ગે સુખી થવાય એ માણસે પોતે, જાતે નક્કી કરવું જોઇએ. અને મને અનુભવે સમજાયું છે કે હું લગ્ન માટે નથી સર્જાઇ. મને મારી રીતે જીવતાં આવડી ગયું છે. લગ્નના નામે હું કંઇ છોડવા નથી ઇચ્છતી. ખંડિત થવા નથી માંગતી.’
‘શાસ્તા, લગ્નના નામે મારે કોઇ હક કે અધિકાર નથી જોઇતા.’
‘તો શું જોઇએ છે ?’
’સંગ, તારો સંગ. તું આપી શકે એટલો જ સાથ. શાસ્તા, હું તને એટલું જ કહેવા માગું છું કે હું તને પ્રેમ કરું છું. હું તારી રાહ જોઉં છું ને ચિરકાળ જોયા કરીશ.’ આટલું કહીને તન્વય ગયો.
શાસ્તાનાં મનમાં ઊથલપાથલ મચી. શું કરું ? હું શું કરું ? એનાં મમ્મી – પપ્પાને પૂછ્યું. મમ્મી બોલી, ‘તું આટલી બધી ડિસ્ટર્બ થઇ ગઇ છે એ પરથી તને નથી સમજાતું કે તુંયે તન્વયને ઝંખે છે ?’
‘પણ ફરીથી એવું જ બને તો ?’
‘પણ, પણ શું ? શાસ્તા, તું મનમાં જરાય સંદેહ ના રાખ. તારા જીવનમાં મંગળ ઘટના ઘટે છે, એને રોકવા નકામા ફાંફાં ના માર. ફૂલ ખીલે છે, એમ જ જીવનમાં પ્રેમ પાંગરે છે, એને પાંદરવા દે. તું ભાગ્યશાળી છે દીકરી, અંતે તન્વય તને સમજી શક્યો છે. અને માનભેર, પ્રેમથી એ તને બોલાવે છે. હવે તું સમય ના બગાડ.’
શાસ્તા સમય બગાડ્યા વગર તન્વય સાથે ફરીથી પરણી ગઇ.
[રીડ ગુજરાતી માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 24 August 2014

આપણે બદલાયે... - ચંદ્રહાસ ત્રિવેદી


આપણે મોટેભાગે આપણા સંબંધમાં આવતા લોકોનાં વાણી-વર્તન તરફ ઘ્યાન આપતા હોઈએ છીએ પણ ભાગ્યે જ તટસ્થ રહીને આપણાં વાણી વર્તનનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ. જો આપણે આપણું નિરીશ્રણ કરતા હોઈએ છીએ. જો આપણે આપણું નિરીક્ષણ કરવાની ટેવ પાડીએ તો આપણો વ્યવહાર અને પરમાર્થ બંને ઘણાં સુધરી જાય. એનો અર્થ એ થયો કે આપણા આલોક અને પરલોકને સુધારવાનો માર્ગ બહારથી અંદર તરફ જતો હોય છે પણ દુર્ભાગ્યે આપણી નજરમાં તે આવતો નથી પરિણામે આપણાં બેય બગડે છે.
હવે આપણે વિચાર કરીએ કે આપણાં વાણી વર્તનને કોણ ઘડે છે ? આપણાં વાણી વર્તનનો જે વ્યવહાર છે તે આપણી અંદર પડેલી વૃત્તિઓને કારણે હોય છે. આપણે ધર્મમાર્ગમાં આગળ વધવું હોય કે સ્વસ્થ રહીને જીવવું હોય તો સૌ પહેલાં આપણે આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરવાની ટેવ પાડવી જોઈએ. વાત એકલા નિરીક્ષણની નથી પણ તેનાથી શરૂઆત કરીને સૌ પહેલાં આપણે આપણને બદલવાના છે. આપણને ઓળખવાના છે. દુનિયાને બદલવા નીકળેલા આપણે આપણને બદલવાનું જ ભૂલી જઈએ છીએ. સૌનો વાંક કાઢનારા આપણે આપણો જ વાંક જોઈ શકતા નથી. તેને લીધે આપણે આપણું મોંઘામૂલું જીવન હારી જઈએ છીએ.
પ્રથમ તો આપણે એ વાત સમજી લેવાની જરૂર છે કે આપણે દુનિયાને નહિ બદલી શકીએ પણ આપણે આપણને બદલીને દુનિયામાં જે તે રીતે સમાવેશ કરી લેવાનો છે અને એ જ સુખ શાન્તિનો માર્ગ છે.
હવે આપણે એ વિચાર કરીએ કે આ વૃત્તિઓ ઉત્પન્ન કેવી રીતે થાય છે અને માણસના જીવન ઉપર તે કેવી રીતે અસર કરે છે. આપણું મન સતત વિચાર કરતું રહે છે. આપણા મનમાં સદાય વિચારોના તરંગો ઉઠતા જ રહે છે. આપણું અંતઃમન ઉંઘમાં પણ તરવરાટ કરે છે તેને કારણે આપણે ભાત-ભાતનાં સ્વપ્નાં જોઈએ છીએ. મન વિચારોનું બીજું નામ છે, વિચાર જ્યારે ગાઢ બને છે ત્યારે તે વૃત્તિ બને છે. આ વૃત્તિઓ બીજ જેવી છે. તેમાં આપણા રાગ-દોષનું સિંચન થતાં તે ફૂલેફાલે છે અને પછી આપણાં વાણી-વર્તન તરીકે તે બહાર આવે છે અને તેનાં જે તે પરિણામો આપણે ભોગવવાં પડે છે. તેથી માણસે પોતાની વૃત્તિઓને ઓળખવી જોઈએ અને જો તે બરોબરન હોય તો તેને પુરૂષાર્થ કરીને બદલવી જોઈએ. વૃત્તિઓને બદલવા માટે જરૂર રહે છે આંતરિક પુરૂષાર્થની.
વૃત્તિઓ આપણા કર્મબંધનું કારણ છે. વૃત્તિઓ જ આપણને પાપ-પુણ્યમાં જોડે છે.
માણસ માત્રની વૃત્તિઓનો ત્રણ ભાગમાં સમાવેશ થઈ જાય છે. સાત્ત્વિક, રાજસી અને તાપસી. સાત્ત્વિક એ સ્વસ્થતાની પ્રકૃતિ છે. રાજસી ભોગ અને ચંચળતાની પ્રકૃતિ છે, તાપસી એ ક્રોધ-કપટ અને હિંસાની પ્રકૃતિ છે. આ પ્રકૃતિમાં નિરંતર ફેરફાર થતા રહે છે અને આ ફેરફાર કરનાર પરિબળ વૃત્તિઓ છે. હવે જો વૃત્તિઓ બદલાય તો પ્રકૃતિ બદલાય, પ્રકૃતિ બદલાય તો વાણી-વર્તન બદલાય અને જીવન બદલાય. વૃત્તિઓ જ કર્મબંધનું મૂળકારણ છે તેથી માણસેસતત પોતાની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ અને વિવેકબળથી અને વિચાર બળથી તેમાં ફેરફાર કરતા રહેવું જોઈએ. આત્મજાગૃતિ હોય તો જ આ થઈ શકે. આ એક સાધના છે. મંદિરોમાં જઈને દર્શન-પૂજા કરવા કરતાંય આ કામ કઠિન છે. વાસ્તવિકતામાં આપણા ધર્મની સઘળી ક્રિયાઓનું લક્ષ્ય પરિવર્તન છે પણ જ્યાં આપણે વૃત્તિઓનું નિરીક્ષણ જ ન કરતા હોઈએ, તેના સારાસારનો વિવેક રાખતા ન હોઈએ ત્યાં તેમાં પરિવર્તન કેવી રીતે કરવાના ?
જો આપણું જીવન કેવળ સ્વાર્થી લાગણીઓવાળું, વાસનાને પોષણ આપનારું અને તે મેળવવા માટે રૌદ્ર પ્રવૃત્તિવાળું હોય, અનેક જીવોનો સંહાર કરનારું અને તેમને દુઃખ આપનારું હોય તો આપણી મનોવૃત્તિઓ તાપસી ભાવનું પોષણ પામીને આપણા બીજા જન્મને ઘણો દુઃખ રૂપ ઉત્પન્ન કરે છે.
એનો અર્થ એ થયો કે આપણા આલોકને અને પરલોકને સુખી અને સ્વસ્થ રાખવા માટે આપણી વૃત્તિઓનું જ મહત્ત્વ છે. તેથી જીવનમાં કોઈ પુરુષાર્થ કરવાનો છે તો તે આપણી વૃત્તિઓનું નિરીક્ષણ કરી, તેમની વચ્ચે વિવેક કરીને હલકી પ્રકૃતિમાંથી સારી પ્રકૃતિમાં જવાનો. જો આપણા ઉપર તામસી પ્રકૃતિનો પ્રભાવ હોય તો રાજસી પ્રકૃતિમાં જવા પ્રયાસ કરવો રહ્યો. રાજસી પ્રકૃતિનો પ્રભાવ આપણા ઉપર હોય તો આપણી અંતરમનની વૃત્તિઓને બદલીને સાત્ત્વિક પ્રકૃતિમાં જવા માટે પુરૂષાર્થ કરવાનો છે અને જો સાત્ત્વિક પ્રકૃતિમાં હોઈએ તો ત્રણેય પ્રકૃતિઓથી પર થઈ જવાનો પુરૂષાર્થ કરવાનો છે.
આત્માની અધોગતિને બદલે ઉન્નતિ ગતિમાં જવાનું સામર્થ્ય આપણા હાથમાં જ છે. જીવનમાં જ્યારે અને જ્યાં તક મળે ત્યારે તેને ઝડપી લઈને આપણે જે પ્રકૃતિમાં હોઈએ તેનાથી ઉચ્ચ પ્રકૃતિમાં જવા માટે આપણે પુરુષાર્થ કરવાનો છે. ભગવદ્ ગીતામાં આ વાત વિગતે કહેવાયેલી છે. વૃત્તિ નિરીક્ષણ એ ધર્મનું આવશ્યક અંગ છે. જેના તરફ આપણે ઓછું લક્ષ આપીએ છીએ પરિણામે ઘણી બધી ધર્મપ્રવૃત્તિઓ કરવા છતાંય આપણે ધર્મથી વેગળા ને વેગળા રહીએ છીએ. જીવનમાં વૃત્તિ નિરીક્ષણ કરવાનો અભિગમ રાખ્યો હશેતો આપણી ઉત્તરોત્તર ઉન્નતિ જ થતી રહેવાની.
- ચંદ્રહાસ ત્રિવેદી
[ગુજરાત સમાચાર માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Sunday 17 August 2014

જન્માષ્ટમી : માધવ કથા કે માનવ કથા ! - પરિમલ નથવાણી



શિવ, રામ અને કૃષ્ણ ભારતીય જન-જીવનનાં અભિન્ન તત્ત્વો છે. શિવ તો મહાદેવ કહેવાય જ છે, રામ અને કૃષ્ણને પણ આપણે ઈશ્વરી તત્ત્વ તરીકે પૂજીએ છીએ. શિવરાત્રી, રામનવમી અને જન્માષ્ટમી માટે આપણી આસ્થા એક સરખી છે, તેની ઉજવણીના પ્રકાર ભલે અલગ હોય. તેના ઉલ્લાસ અને ઉમંગ વધતા-ઓછા હોઈ શકે છતાં આ ત્રિદેવ યુગોથી આપણા આરાધ્ય ઈશ્વર રહ્યા છે. છતાં આપણે શિવશંકર, રામચંદ્ર કે કૃષ્ણચંદ્ર જેવાં નામો ધરાવતા સંખ્યાબંધ માણસો હિન્દુસ્તાનમાં શોધી શકીએ, એટલું જ નહીં, આ મૂળ તત્ત્વોનાં નામોની વિભિન્ન અર્થછાયાઓ અને વિભિન્ન નામ છાયાઓ ધરાવતાં નામો પણ છે. જેમ કે શિવજી, રામજી, કાનજી વગેરે. દક્ષિણ ભારતમાં તો એક જ વ્યક્તિ 'શિવરામકૃષ્ણન્' હોઈ શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે, આપણા લોહીમાં, આપણી નસોમાં, આપણા હોર્મોન્સ અને જીન્સમાં આ નામો એવાં ભળી ગયાં છે, એટલાં ભળી ગયાં છે કે, કોઈ કાળે તે અલગ ન થઈ શકે. આ દેવોને આપણે કથા, કવિતા અને સાહિત્યમાં દેવો કે ઈશ્વર ઉપરાંત ઇતિહાસ પુરુષો તરીકે, અવતાર પુરુષો તરીકે અને માનવ-સહજ લીલા કરતાં દૈવી પુરુષો તરીકે પણ નિરુપ્યા છે. આ પણ આ દેવો પ્રત્યે, આ ઈશ્વરી તત્ત્વો પ્રત્યે આપણી આસ્થા, શ્રદ્ધા, ભાવના, ભક્તિ અને પ્રેમ પ્રર્દિશત કરવાનો એક પ્રકાર છે. તેથી જ યુગોથી આપણે તેમના જન્મ-દિવસો ઊજવીએ છીએ.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી એક એવો જ રાષ્ટ્રીય તહેવાર છે. રાષ્ટ્રીય એટલા માટે કે, આખા દેશમાં તે ઊજવાય છે. કૃષ્ણના જીવનનો પ્રભાવ એટલો વિશદ્ અને એટલો ગહન છે કે, આપણે અચંબિત થઈ જઈએ. તેની સાથેનું આપણું તાદાત્મ્ય અદ્ભુત છે- 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ' કહેનાર નરસિંહ કૃષ્ણને મોંઢે મોંઢ ચોપડાવી શકે કે, 'કાનજી તારી મા કહેશે, પણ અમે કાનુડો કહેશું...' આ એ જ નરસિંહ કે જે તળાજા પાસેના ગોપનાથના શિવમંદિરમાં ભગવાન શંકરને પ્રસન્ન કરી તેમની પાસે શ્રીકૃષ્ણની રાસલીલાનું દર્શન કરવાની માગણી કરે અને શંકર તે પૂરી પણ કરે. આ એ જ શ્રીકૃષ્ણ જે જાતે ગીતામાં એમ કહે કે, 'શસ્ત્રધારીઓમાં હું રામ છું.' આ એ જ રામ કે જે મહાન શિવભક્ત રાવણની સાથે યુદ્ધ કરવા જતાં પહેલાં રામેશ્વરમ્માં શિવની સ્થાપના કરે. આ એ જ શિવ જે પાર્વતીજીને રામચરિતનું રસપાન કરાવે. આ એ જ શિવ જે બાળકૃષ્ણનાં દર્શન માટે જોગીનું રૃપ લઈ ગોકુળમાં નંદ-જશોદાને આંગણે અડિંગો જમાવે. જગતભરનાં ધર્મોમાં, સાહિત્યમાં કે લોકજીવનમાં બાળકને ઈશ્વર તરીકે ભજવાના, તેને લાડ લડાવવાના, તેનાં ગુણગાન ગાવાના, તેની પૂજા કરવાના કે તેને યાદ કરવાના ભાગ્યે જ કોઈ દાખલા મળશે જેટલા બાળ કૃષ્ણના મળે છે. 'વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ્ બાલ મુકુન્દમ્ મનસા સ્મરામિ.' આપણે વડનાં પાનના સંપુટમાં સૂતેલા બાલ કૃષ્ણને મનથી યાદ કરીએ છીએ. 'મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ' એમ કહીને મીરાંબાઈ છડેચોક જાહેર કરે કે, 'જા કે સંગ લોકલાજ મેરો પતિ સોઈ...' એક નારીની ખુદ્દારીનું આટલું ડંકે કી ચોટ પર કહેવાયેલું ઉદાહરણ દુનિયાની મહિલાઓના ઇતિહાસમાં ક્યાંય જડે નહીં, કારણ કે કૃષ્ણ મીરાંની આંતરિક તાકાત છે.
પુષ્કળ ઐશ્વર્ય, શારીરિક ક્ષમતા, ધન સંપત્તિ, અસ્ત્ર-શસ્ત્ર અને સૈન્ય બળ ધરાવતા દ્વારકાધીશ શ્રીકૃષ્ણને આપણે એટલા માટે પૂજીએ છીએ કે, તમામ ઈશ્વરી તાકાત અને ચમત્કારિક શક્તિઓ ધરાવતા શ્રીકૃષ્ણ એક ઝંઝાવાતી માનવસહજ જીવનનું દૃષ્ટાંત પણ પૂરું પાડે છે. આ એક એવો ઈશ્વર છે જે વાંસળી પણ વગાડે અને ગાયો પણ ચારવા જાય. માખણની ચોરી કરે અને મલ્લ-કુસ્તી પણ કરે. ગેડીદડો પણ રમે અને જમુનાનાં નીર ભરવા જતી પાણિયારીઓનાં માટલાં પણ ફોડે. ગોપીઓનાં વસ્ત્રો પણ હરે અને તેમની સાથે રાસ પણ રમે. સુદર્શન ચક્રથી દુષ્ટોનો સંહાર કરે અને વરદ્-હસ્તે દ્રૌપદીનાં ચીર પૂરે અને સુદામાનું દારિદ્રય હરે. મામાનો વધ કરી જન્મ-દાતા માતા-પિતાને કેદમાંથી છોડાવે અને પાલક માતા-પિતાને ગોકુળમાં ત્યજીને મથુરા અને દ્વારકા પહોંચી જાય. દુર્યોધન સાથે એક રાજવી તરીકે સંધિ-વિગ્રહ માટે ચર્ચા કરે, પણ વિદૂરને ત્યાં ભાજીનું ભોજન કરે. કર્ણનાં કવચ-કુંડળ ઊતરાવી લે અને અર્જુનના રથની લગામ પણ સંભાળે. કૃષ્ણનું સમગ્ર જીવન જાણે ઘટનાઓની એક વણથંભી વણઝાર છે. કેટલાં બધાં કષ્ટો, કેટલી બધી વિષમતાઓ, કેટલાં બધાં ઘર્ષણ, કેટલાં બધાં ઉત્તરદાયિત્વો, કેટલી અવમાનનાઓ, કેટલા સંઘર્ષ, કેટલાં દુઃખો, કેટલાં કષ્ટો! બેસુમાર, પારાવાર.
કષ્ટો સહેવાથી કૃષ્ણ મળે તેમ આપણે કહીએ છીએ. કદાચ તેથી જ કૃષ્ણ આપણને આપણા પોતાના લાગે છે. તેથી જ આપણે તેમનાં ગુણગાન કરીએ છીએ. તેથી જ આપણે તેમની સ્તુતિ કરીએ છીએ. તેથી જ આપણે તેમની કથાઓ કરીએ છીએ. તેથી જ આપણે તેમની કવિતાઓ કરીએ છીએ. તેથી જ આપણે તેમનું રટણ કરીએ છીએ. તેથી જ તેમનું ભજન કરીએ છીએ. તેથી જ આપણે તેમને ભણીએ છીએ અને તેથી જ તેમને ભજીએ છીએ. એકવાર નહીં, અનેકવાર, વારંવાર.
ટૂંકમાં, કૃષ્ણ એક કલ્પના નથી- એત મિથ નથી- પણ વસ્તુતઃ એક હકીકત છે. મહાભારત, સ્કંદ પુરાણ, હરિવંશ વગેરેમાં સવિસ્તાર ર્વિણત કૃષ્ણ એક વાસ્તવિકતા છે, એક સચ્ચાઈ છે. કૃષ્ણ જો કે કાલાતીત છે, પરંતુ વિવિધ વિદ્વાનોએ શ્રીકૃષ્ણના જીવન-કાળને પાંચ હજાર વર્ષ જેટલો પ્રાચીન પ્રમાણિત કર્યો છે. આપણી ભારતીય શક સંવત ચૈત્ર માસથી શરૃ થાય છે. હાલ શક સંવતનું ૧૯૩૫મું વર્ષ ચાલે છે. જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા મુજબ કળિયુગનો આરંભ ચૈત્ર સુદ પડવાના દિવસે શક પૂર્વે ૩૧૭૬ વર્ષ એટલે કે ૫૧૧૧ વર્ષ પહેલાં થયો હતો. તેની અગાઉ છ મહિના પહેલાં માગશર સુદ-૧૪ના રોજ મહાભારતનું યુદ્ધ થયું હતું જે અઢાર દિવસ ચાલ્યું હતું (ગીતાના અધ્યાય અઢાર છે, કૌરવો-પાંડવો બંનેની સેનાઓ મળીને અઢાર અક્ષૌહિણી સૈન્યનું આ યુદ્ધ હતું). ત્યારે શ્રીકૃષ્ણની ઉંમર ૮૩ વર્ષની હતી. શ્રીકૃષ્ણના સમયમાં માગશર મહિનાથી વર્ષની શરૃઆત ગણવાનો રિવાજ હશે તેવાં પ્રમાણ મળે છે. મહાભારતમાં માગશર મહિનામાં વસંતનું આગમન ગણવામાં આવ્યું છે. ગીતામાં શ્રીકૃષ્ણે પોતાની વિભૂતિઓનું વર્ણન કરતાં 'માસાનાં માર્ગશીર્ષોહમ્' અને 'ઋતુનાં કુસામાકર' અર્થાત્ 'મહિનાઓમાં હું માગશર છું' અને 'ઋતુઓમાં વસંત' એમ કહ્યું છે. જ્યોતિષશાસ્ત્રના વિદ્વાનોએ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં માગશર માસમાં વસંતની શરૃઆત થતી હોવાનું નોંધ્યું છે.
શ્રીકૃષ્ણ દ્વાપર યુગના અંત અને કળિયુગના આરંભના સંધિકાળ સુધી વિદ્યમાન હતા. પ્રભાસ પાટણ (સોમનાથ/ વેરાવળ ક્ષેત્ર)માં યાદવાસ્થળી બાદ તેમણે બચી ગયેલા સૌને તત્કાળ દ્વારકા છોડી જવા કહ્યું. પોતે પારધીના બાણથી વીંધાઈને ૧૧૯ વર્ષનું આયુષ્ય ભોગવી દેહ છોડયો અને સુવર્ણનગરી દ્વારિકાને દરિયો ગળી ગયો. શ્રીકૃષ્ણનો જીવનકાળ શક સંવત પૂર્વે ૩૨૬૩ અને ૩૧૪૪ વચ્ચેનો છે.
પુરાતત્ત્વવિદો જણાવે છે કે, પાંચ હજાર વર્ષ પહેલાં આખી પૃથ્વી ઉપર એવો પ્રલય થયો હતો કે, ભયંકર ધરતીકંપ, સમુદ્રી તોફાનો અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ ઘટી. નદીઓના પ્રવાહો બદલાયા. સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ થયું. આવી ભયાનક દુર્ઘટનાઓ તે સમયે વર્તમાન ઇરાનના બગદાદ તથા મેક્સિકોમાં પાંચ હજાર વર્ષ પહેલાં થઈ હતી. હસ્તિનાપુર, દ્વારકા વગેરેમાં આ પ્રકારના પ્રલયનાં વર્ણનો મહાભારત અને શ્રીમદ્ ભાગવત્ સહિતનાં પુરાણોમાં મળે છે. એમ મનાય છે કે, તે સમયની ભૂગોળમાં બગદાદ, મેક્સિકો, હસ્તિનાપુર અને દ્વારકા લગભગ એક જ અક્ષાંશ રેખા ઉપર કે તેની આજુબાજુ સ્થિત હતાં,જેમ આજે પણ આ સ્થળોના અક્ષાંશમાં બહુ ઝાઝો ફેર નથી. એટલે કૃષ્ણ તથા દ્વારકાની કથા પાંચ હજાર વર્ષ જૂની તો છે જ તે પુરાતત્ત્વીય પ્રમાણેની રીતે પણ ર્નિવાદ છે.
આમ, સૌ કોઈનાં મન મોહી લેનાર આ માધવ કથા એ માનવ કથા છે. કૃષ્ણની કથા છે. દ્વારકાની કથા છે. દ્વારકાધીશની કથા છે. જય દ્વારકાધીશ.

(લેખક દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સાંસદ છે)

Posted By: http://web-sarita.blogspot.com/ Sunday 17 August 2014

જન્માષ્ટમી - સનાતન જાગૃતિ


જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. "તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે." કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.
એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.
ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. "મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો." અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. "यदा यदा हि धर्मस्य..." આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!
શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી."
વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.
સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં.
શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી.
વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ. પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે.
નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે.
દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે.
ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે.
કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે.
પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે.
શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ "ચાણુર" કામનું પ્રતીક છે અને "મુષ્ટિક" એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ "કુવલયાપીડ" હાથી એ અભિમાનનું પ્રતીક છે.
જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોપીની પરિભાષા એ છે કે, "પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!"
ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે.
જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.
એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા !
ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે.
રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે. ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે.
ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.
ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.
વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે.
જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે - (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.
જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને "માનસી સેવા" કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ "તનુજા સેવા". વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ "વિત્તજા સેવા". સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.
જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ.
ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;
             ઉરે હો જે ભાવ, એવું મનન દેજે...
કનૈયા ! મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે, "ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !" હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે. મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે.
વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ.
ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય.
આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે.
વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે.
જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ. દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે.
ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ. ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.
'વ્રત' એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે.
શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.
આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.
પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: "कृष्णस्तु भगवान स्वयं" - કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.
[http://www.sanatanjagruti.org માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Saturday 9 August 2014

સંવેદનાનો અતિરેક - Krushnakant Unadkat


તેરી પાબંદિયો સે રુક નહીં સકતી યે ફરિયાદે, 
                                                   અગર હમ ચૂપ રહે તો જખ્મ સારે બોલ પડતે હૈ.‘ - મંજર ભોપાલી

           સંવેદના એટલે દરેક લાગણીઓને ઉત્કટતાપૂર્વક જીવવાની અને માણવાની કળા. સંવેદના દરેક માણસના નસીબમાં નથી હોતી. કેટલાંક લોકો પથ્થર જેવા હોય છે. આવા લોકો પર સંવેદનાની કોઇ અસર થતી નથી. દરેક પથ્થરમાંથી પ્રતિમા ન બને. અસંવેદનશીલ માણસ પર સંવેદના રાખવી એટલે પથ્થર પર પાણી ઢોળવું. જે માણસ સમજી ન શકે તેની સાથે સંવેદનાનું પ્રદર્શન ન કરવું. આમ પણ સંવેદનાના દર્શન હોય, પ્રદર્શન નહીં.
       સંવેદનશીલ હોવું એ સારી વાત છે પણ સંવેદનાનો અતિરેક સારો નહીં. દરેક ગુણ એની મર્યાદામાં જ શોભે. નદી એનો કિનારો છોડે તો ખાનાખરાબી સર્જે છે. હવાને મસ્તી ચડે તો આંધી ફૂંકાય છે. પ્રકાશ દીવાથી જ આવે, આગથી નહીં. સંવેદનાનું પણ પ્રમાણભાન જળવાવું જોઇએ. માત્ર સંવેદનાથી જિંદગી જીવાતી નથી. તમારા જીવનમાં, તમારા કામમાં અને તમારા ઘ્યેયમાં તમારી સંવેદના પ્રેરણારૂપ બનવી જોઇએ.
એક સરસ મજાની ઉકિત છે. તું એટલો કડવો ન થજે કે જગત તને થૂંકી નાખે, તું એટલો મીઠો પણ ન થજે કે જગત તને ચાવી જાય. કોઇ મસળી નાખે એટલી ઋજુતા ઘણીવખત જીવલેણ બને છે. આપણે સંવેદનશીલ હોઇએ એટલે જરૂરી નથી કે આપણી સાથેના લોકો પણ એટલા જ સંવેદનશીલ હોય.
           ઘણી વખત સંવેદનશીલ લોકો પોતાની વ્યકિત પાસેથી એવી જ અપેક્ષા રાખતાં હોય છે કે તેણે પણ અત્યંત સંવેદનાપૂર્વક વર્તવું. સંબંધોમાં માણસ હંમેશાં એવું ઇરછે કે તેની દરેક વાતનો અને દરેક વર્તનનો પોઝિટિવ પડઘો પડે. જો કે દરેક વખતે એવું થતું નથી. દરેક વખતે આપણાં ધાર્યા મુજબનો જ રિસ્પોન્સ મળે એવું જરૂરી નથી.
આપણો મૂડ હોય એવો જ મૂડ સામા માણસનો હોય એ પણ જરૂરી નથી. ઘણીવખત સારો માણસ પણ તેના અંગત સંજોગોના કારણે ખરાબ વર્તન કરી બેસે છે. સંવેદનશીલ માણસોને આવી ઘટનાઓ વખતે આકરી ઠેસ પહોંચે છે. સામેનો માણસ આપણી ધારણાથી જુદું કે વિચિત્ર વર્તન કરે ત્યારે તેની મેન્ટલ કન્ડિશન અને તેણે આવું શા માટે કર્યું એ પણ શાંતિથી વિચારવું જોઇએ. ગમે એવો ડાહ્યો માણસ પણ ભૂલ કરી શકે છે. એ ભૂલ સમજવાની અને સ્વીકારવાની તૈયારી રાખવી જોઇએ.
           માણસમાં સામેની વ્યકિતનું વર્તન માપવાની આવડત પણ હોવી જોઇએ. આપણે ઘણીવખત આપણા મૂડને જ ઘ્યાનમાં રાખીએ છીએ. ઓફિસેથી બોસની ડાંટ ખાઇને આવેલા પતિની રાહ જોઇને બેઠેલી પત્નીએ આવતાવેંત બહાર જવાની વાત કરી. એ સાથે જ પતિ તાડૂકયો. તને બસ તારી જ પડી છે. તારું ધાર્યું જ કરવું છે અને મારી પાસે કરાવવું છે. અને લાંબો ઝઘડો ચાલ્યો.

મોટા ભાગે એવું થતું હોય છે કે કોઇનો ઇરાદો ખરાબ નથી હોતો, કોઇને ઝઘડવું હોતું નથી, પણ માણસ અજાણતાં જ ખરાબ વર્તન કરી બેસે છે. આવા સમયે પોતાની વ્યકિતને ઓળખવી અને સાચવવી એ પણ સંવેદનાનો જ એક ભાગ છે. મોટાભાગના સંબંધો અત્યંત ક્ષુલ્લક કારણોસર તૂટે છે. તકલીફ ત્યારે થાય છે કે માણસ કયારેય પોતાની ભૂલ સમજતો જ નથી, અને સામેવાળાની ભૂલને પણ સમજતો નથી. દરેક ભૂલની સજા ન હોય, ઘણી ભૂલો સુધારવા પ્રેમની પણ જરૂર પડે છે.

             પતિ-પત્નીના ઝઘડા બાદ પત્નીએ કહ્યું કે, સોરી મને ખબર ન હતી કે તું ડિસ્ર્ટબ છે, તારી સાથે શું વિત્યું છે, તને વધુ ડિસ્ર્ટબ કરવાનો મારો ઇરાદો ન હતો. પત્નીની વાત સાંભળીને પતિએ પણ કહ્યું કે, મારું તારી સાથેનું વર્તન બરોબર ન હતું. આઇ એમ સોરી, હું તારી સાથે કારણ વગર ખરાબ વર્તન કરી બેઠો. અલબત્ત, આપણામાં આટલી સહજતા જ હોતી નથી.

            મોટાભાગે માણસ એવું વિચારે છે કે, મારે જ એના મૂડનું ઘ્યાન રાખવાનું? મારા મૂડનું કંઇ નહીં? આપણી સંવેદના આપણા ઉપર જ હાવિ ન થઇ જાય તેનું પણ ઘ્યાન રાખવું પડે છે. સંવેદનશીલ રહો પણ એટલા બધા પણ સંવેદનશીલ ન થાવ કે સામાવાળાની વેદના પણ ન જોઇ શકો. માત્ર સંવેદનશીલ નહીં, વ્યવહારુ પણ બનવું પડે છે. આપણી સંવેદનાના ભાર નીચે આપણે જ ન દબાઇ જઇએ તેનું ઘ્યાન રાખવું જોઇએ. આપણી સંવેદના કોઇને હળવા બનાવવા હોવી જોઇએ. સંવેદનાનો દુરાગ્રહ બીજાને તો હળવા નહીં બનાવે, પોતાની જાતને પણ ભારે બનાવી દેશે. તમારી સંવેદના કોઇના માટે ગૂંગળામણ ન બની જાય તેનો ખ્યાલ રાખજો. ‘

છેલ્લો સીન 

સિંહને પણ માખીઓથી પોતાની રક્ષા કરવી પડે છે. ‘જર્મન કહેવત,

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 9 August 2014

રક્ષાબંધન :બહેન-ભાઈના અતૂટ સ્નેહ ઉપરાંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો તહેવાર - પ્રશાંત પટેલ

ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક એવો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાના દિવસે સમગ્ર ભારતમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. રક્ષાબંધનની શરૂઆત પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે, પરંતુ આ સિવાય પણ શ્રાવણી ર્પૂિણમાનો દિવસ બીજાં કારણોને લઈને પવિત્ર માનવામાં આવે છે.
પ્રાદેશિક પરંપરાઓ
દરેક પ્રદેશની તહેવાર સાથે આગવી પરંપરાઓ જોડાયેલી હોય છે. જે તહેવારની ઉજવણીમાં પણ જોવા મળે છે. પશ્ચિમ ભારતના સમુદ્ર તટે આવેલા પ્રદેશો જેમ કે, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ નારિયેળી ર્પૂિણમાના સ્વરૂપે આ તહેવાર મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે વરુણ દેવનું પૂજન કરીને નારિયેળ અર્પણ કરવાનું જણાવાયું છે. તેથી ર્પૂિણમાના દિવસે ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો) એક નારિયેળ જળના દેવતા ભગવાન વરુણની પૂજાના સ્વરૂપે સમુદ્ર દેવને અર્પણ કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ રહેલો છે કે સમુદ્ર જળના દેવતા સ્વરૂપ છે. તેઓ પોતાના ભક્તો પર ક્યારેય કોપાયમાન ન થાય. કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓરિસ્સા જેવાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય દ્વારા આ દિવસ 'અવની અવિત્તમ' તરીકે મનાવવામાં આવે છે. કર્ણાટકમાં યજુર્વેદના અદ્યેતાઓ આ દિવસને 'ઉપકર્મ' તરીકે ઊજવે છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણવામાં આવે છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૂ કરતાં પહેલાં યજુર્વેદના અદ્યેતાઓ દ્વારા એકબીજા સાથે પોતાનું યજ્ઞાોપવીત (જનોઈ) બદલવાની પરંપરા આ રાજ્યોમાં જોવા મળે છે:
મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર 'કજરી ર્પૂિણમા' તરીકે ઊજવવામાં આવે છે. આ રાજ્યોમાં જે પરિવારમાં પુત્રો હોય છે તેમના દ્વારા આ તહેવાર ઊજવવામાં આવે છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી કજરી ર્પૂિણમા ઉત્સવ મનાવવાની શરૂઆત થઈ જાય છે. આ નવમા દિવસને જ કરજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઈને ર્પૂિણમાના દિવસ સુધી ઘણાં પ્રકારની જુદી-જુદી પૂજાઓનું આયોજન થતું રહે છે.
રાજસ્થાનમાં રામરાખી, ચૂડારાખી કે લૂંબા બાંધવાનો રિવાજ છે. રામરાખી સામાન્ય રાખડીથી અલગ હોય છે. તેમાં લાલ દોરા પર પીળું ફૂલ હોય છે જે માત્ર ભગવાનને જ બાંધવામાં આવે છે. ચૂડારાખી ભાભીની બંગડીઓ પર બાંધવામાં આવે છે. જોધપુરમાં રક્ષાબંધનના દિવસે માત્ર રાખડી જ બાંધવામાં આવતી નથી, પણ બપોરના સમયે નદી કિનારે ગણેશજી અને દુર્ગામાની પ્રતિમા બનાવીને ઋષિ-મુનિઓને અર્પણ કરવામાં આવે છે. આ ર્ધાિમક અનુષ્ઠાન બાદ ઘરે યજ્ઞા કરવામાં આવે છે. રક્ષાસૂત્રને કાચા દૂધથી ધોઈ, અભિમંત્રિત કરીને પછી ભાઈના કાંડા પર બાંધવામાં આવે છે.
વ્રજમાં હરિયાળી ત્રીજથી શ્રાવણી ર્પૂિણમા સુધી મંદિરમાં ઠાકોરજીના ઝૂલા લગાવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે ઝૂલાનાં દર્શન બંધ થઈ જાય છે.

પૌરાણિક કથાઓ
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની ર્પૂિણમાએ મનાવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું ર્ધાિમક મહત્ત્વ એટલા માટે પણ છે કે મહાભારતમાં કે પુરાણમાં બનેલી અમુક ઘટના શ્રાવણી પૂનમના દિવસે જ બની હતી. બલિ રાજાની કથા, ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા તેમ જ મહાભારતમાં પણ રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ જોવા મળે છે.

બલિ રાજાની કથા
સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ જોવા મળે છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ નષ્ટ કર્યું હતું, તેથી આ તહેવાર બળેવના નામે પણ ઓળખાય છે.
આ કથા પ્રમાણે દાનવરાજ બલિએ જ્યારે સો યજ્ઞા પૂર્ણ કરીને પોતાના રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માંગી. પોતાના ગુરુ શુક્રાચાર્યની મનાઈ હોવા છતાં પણ વામનને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને બે પગલાંમાં આકાશ અને ધરતી માપી લીધી અને ત્રીજું પગલું તો બાકી જ રહ્યું, ત્યારે બલિ રાજાએ પોતાનું માથું ધર્યું અને કહ્યું ત્રીજું પગલું અહીં મૂકો. ભગવાને તેના શિષ પર પગ મૂક્યો અને રાજા બલિને પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા રાજા બલિનું અભિમાન નષ્ટ થયું તેથી આ દિવસ બળેવના નામે ઓળખાવા લાગ્યો. જ્યારે બલિરાજા રસાતાળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપીને બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન વૈકુંઠ પરત ન આવતાં લક્ષ્મીજી ચિંતાતુર થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે, વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ હંમેશાં તેમની સામે રહેવાનું વચન માંગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિરાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણુજીને માંગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂનમ હતી. આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગૂંથાયેલી હતી.

ઈન્દ્ર-ઈન્દ્રાણીની કથા
ભવિષ્ય પુરાણમાં પણ રક્ષાબંધનના સંદર્ભે એક બીજી કથા પ્રચલિત છે. દેવો અને દાનવોના યુદ્ધમાં દેવતાઓ હારવા લાગ્યા ત્યારે દેવતાઓ તેમની મુશ્કેલીનો ઉકેલ મેળવવા માટે દેવરાજ ઈન્દ્ર પાસે ગયા. દેવતાઓને ભયભીત જોઈને ઈન્દ્રાણીએ તેમના હાથ પર રક્ષાસૂત્ર બાંધ્યું. તેનાથી દેવતાઓનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેમણે દાનવો પર વિજય પ્રાપ્ત કરી લીધો. કહેવાય છે કે તે જ દિવસથી યુદ્ધમાં જતા યોદ્ધાઓને રાખડી બાંધવાની પ્રથા શરૂ થઈ. એટલે જ રાજપૂત રાજાઓ જ્યારે યુદ્ધ લડવા માટે જતા હતા ત્યારે ઘરની સ્ત્રીઓ તેમને રેશમની દોરી બાંધી વિજયતિલક કરીને રણભૂમિમાં તેમની રક્ષા થાય અને વિજય મળે તેવી પ્રાર્થના કરતી.

રેશમના તાંતણે બંધાયા યોગેશ્વર
મહાભારતની કથામાં પણ રક્ષાબંધનના પર્વનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું ત્યારે યુધિષ્ઠિર બહુ ચિંતિત હતા. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે, "બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું?" ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમની સેના માટે રક્ષાબંધનનો તહેવાર ઊજવવાની સલાહ આપી. ભગવાને કહ્યું હતું કે, "આ રેશમની દોરીમાં એવી તાકાત છે કે જે દરેક મુશ્કેલીમાં તમારું રક્ષણ કરશે." આ જ ભાવના સાથે યુદ્ધમાં લડવા જતાં અભિમન્યુને કુંતી રક્ષાસૂત્ર બાંધે છે. દ્રૌપદીના ભ્રાતૃપ્રેમને દર્શાવતો એક બીજો હૃદયસ્પર્શી પ્રસંગ છે. જેમાં શ્રીકૃષ્ણ અને દ્રૌપદીના પ્રેમની ઝાંખી થાય છે. જ્યારે મહાભારતમાં શિશુપાલ વધમાં સુદર્શન ચક્રને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ જાય છે ત્યારે દ્રૌપદી તરત જ પોતાની સાડીના છેડાથી પાટો બાંધી દે છે, કહેવાય છે કે આ દિવસ શ્રાવણી પૂનમનો પાવન દિવસ જ હતો. તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન દ્રૌપદીની સાડીની એ પટ્ટીમાં જેટલા તાંતણાં હતા તેટલાં ચીર પૂરીને વસ્ત્રહરણ પ્રસંગે તેની લાજ રાખે છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ રક્ષાબંધન
રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ પાવન બનવું, શુદ્ધ બનવું, બૂરાઈનો ત્યાગ કરવો તેમજ જીવનમાં દૃઢતા લાવવી. ભૌતિક રીતે આજના સમયમાં કોઈની રક્ષા કરવાનું કામ મુશ્કેલ છે, કારણ કે આપણે બધાં જ જાણીએ છીએ, માનીએ છીએ, અનુભવ કરીએ છીએ કે આ નાશવંત શરીર સિવાય પણ એક ચૈતન્ય આત્મા છે, જે અજર-અમર છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી. તે શરીરની રક્ષાનું આટલું મહત્ત્વ કેમ?
દરેકના મનમાં આ સવાલ ચોક્કસ ઉદ્ભવે, પણ જીવનને ઉન્નત અને ઉત્કૃષ્ટ દિશા આપવા માટે શરીરના માધ્યમની પણ આવશ્યક્તા હોય છે તેથી શરીરની રક્ષાનું પણ મૂલ્ય છે. આ જીવનમાં મળતા સમયનો સદુપયોગ કરીને, શુદ્ધતાનું પાલન કરીને મનને વિકારથી દૂર રાખવા માટે રક્ષાબંધનના જ પ્રતીકાત્મક મૂલ્યને પણ સમજવું જરૂરી છે.
આ દિવસે બહેન ભાઈના કપાળ પર જ્યાં આજ્ઞાાચક્ર હોય છે ત્યાં તિલક કરે છે. આપણી સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે. તેથી જો મગજમાં સદ્વિચાર આવશે તો આપોઆપ શરીર પણ સદ્પ્રવૃત્તિ તરફ વળશે ત્યારબાદ ભાઈના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. આ રક્ષાસૂત્રથી મનુષ્ય સદ્માર્ગે ચાલવાના સંકલ્પથી બંધાઈ જાય છે અને અંતે મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવવામાં આવે છે. જેનો અર્થ એ છે કે હંમેશાં મધુર વાણી રાખો અને વાણી કે વિચારથી કોઈના પર દ્વેષભાવ ન રાખવો. આ રીતે રક્ષાબંધનનું પર્વ મનોવિકારને દૂર રાખીને મનને દુર્ભાવોથી રક્ષણ આપવાનું કામ પણ કરે છે.

ઇતિહાસ શું કહે છે?
રેશમના તાંતણાથી બનેલી રાખડી કેવું મહત્ત્વ ધરાવે છે તેનો એક કિસ્સો ઇતિહાસનાં પાનાંઓ પર નોંધાયેલો છે.
ચિત્તોડનાં રાજમાતા કર્માવતીએ મુગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો હતો અને તે પણ સંકટના સમયે બહેન કર્માવતીની રક્ષા માટે ચિત્તોડ આવી પહોંચ્યો હતો. કહેવાય છે કે મેવાડની મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર હુમલાની પૂર્વસૂચના મળી હતી. રાણી લડવા માટે અસમર્થ હતી તેથી તેમણે હુમાયુને રક્ષણ કરવા માટે પ્રાર્થના કરી. હુમાયુ મુસલમાન હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને બહાદુરશાહ સાથે યુદ્ધ કરીને તેની બહેન કર્માવતીની અને મેવાડની રક્ષા કરી હતી.
બીજી એક કથા સિકંદર સાથે જોડાયેલી છે. સિકંદરની પત્નીએ તેના પતિના હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધી અને તેના પતિને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે પણ રણભૂમિમાં બહેને બાંધેલ રક્ષાસૂત્રનું સન્માન કરતાં સિકંદરને જીવતદાન આપ્યું હતું.

યજ્ઞાોપવીત સંસ્કાર
શ્રાવણી પૂનમના દિવસે રક્ષાબંધન તો ઊજવાય છે સાથે-સાથે સોળ સંસ્કારમાં મહત્ત્વનો એવો યજ્ઞાોપવીત સંસ્કાર પણ કરાય છે. આ દિવસે જૂની યજ્ઞાોપવીત (જનોઈ)ને બદલીને નવી યજ્ઞાોપવીત ધારણ કરવામાં આવે છે. યજ્ઞાોપવીત ધારણ કરવાના સંસ્કાર પાછળ પણ જીવનને કલ્યાણકારી માર્ગે વાળવાનો પવિત્ર ઉદ્દેશ રહેલો છે. યજ્ઞાોપવીત જ્યારે બાળક થોડું મોટું અને સમજણું થાય ત્યારે આપવામાં આવે છે. યજ્ઞાોપવીતમાં મુખ્ય ત્રણ તાર હોય છે અને દરેક તારમાં પણ બીજા ત્રણ તાર હોય છે. આ રીતે કુલ નવ તાર હોય છે. યજ્ઞાોપવીતના મુખ્ય ત્રણ તાર ગાયત્રી મંત્રના મુખ્ય ત્રણ પદ સાથે સંબંધ ધરાવે છે અને નવ તાર તેના અક્ષરો સાથે. ગાયત્રી મંત્ર સદ્બુદ્ધિનો મંત્ર છે જ્યારે ગાયત્રી મંત્રને યજ્ઞાોપવીતના રૂપમાં ડાબા ખભે ધારણ કરવામાં આવે છે ત્યારે તે એક મનુષ્ય તરીકેના કર્તવ્યની સતત યાદ અપાવે છે. ડાબા ખભે ધારણ કરવા પાછળ પણ એક તર્ક રહેલો છે. ડાબી બાજુ હૃદય હોય છે.
જ્યારે તમે મનુષ્ય તરીકેનાં કર્તવ્યોનું વહન કરો છો તો તમે તેને ખરા દિલથી નિભાવો એ જ ઉદ્દેશ સાથે યજ્ઞાોપવીત આપવામાં આવે છે. તેને ધારણ કર્યા પછી દર શ્રાવણી પૂનમે બદલવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે ઋષિ-મુનિઓને યાદ કરીને સમુદ્રકિનારે કે પવિત્ર નદી કાંઠે જઈને નવી જનોઈ ધારણ કરે છે.
કવર સ્ટોરી : પ્રશાંત પટેલ
[ http://www.sandesh.com/ માંથી સાભાર ]

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે.
દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.
પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે.
આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો;
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો;
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !
બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.
આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. "उत्सव प्रियाः खलु मनुष्या!" - ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. "સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી." એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.
રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.
ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.
રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.
પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.
"કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..." અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!
મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!
રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.
નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ "સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્" કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.
બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.
अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥
જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.
- See more at: http://www.sanatanjagruti.org/sanskar/rakshabandhan#sthash.OHNvdF7n.dpuf
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે.
દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.
પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે.
આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો;
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો;
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !
બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.
આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. "उत्सव प्रियाः खलु मनुष्या!" - ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. "સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી." એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.
રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.
ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.
રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.
પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.
"કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..." અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!
મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!
રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.
નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ "સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્" કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.
બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.
अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥
જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.
- See more at: http://www.sanatanjagruti.org/sanskar/rakshabandhan#sthash.OHNvdF7n.dpuf
ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ.
આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.
હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.
શુધ્ધ ભાવે, ખરા અંતઃકરણપૂર્વક કોઇના શ્રેય માટે કરાયેલી ઇચ્છા નિષ્ફળ જતી નથી. ઇચ્છા-સંકલ્પ એક અમોઘ શક્તિ છે, ઘણું ઘણું કરવા સમર્થ એવી શક્તિ છે. દૃઢ સંકલ્પથી જ માનવી પોતાની જાતને ઇચ્છાનુસાર ઘડી શકે છે. સંકલ્પમાં અનેરું અને અનોખું સામર્થ્ય છે. સંકલ્પ એ ચમત્કારનો જન્મદાતા છે, સિદ્ધિ અને પ્રગતિનો પ્રેરક છે. સંકલ્પ વડે ગમે તેવા અશક્ય કાર્યો પણ સિદ્ધ થાય છે.
દરેકે દૃઢ સંકલ્પ-શક્તિના સહારે કઠોર તપશ્ચર્યા કરીને પરમ કૃપાળુ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. એવી અવિચળ શ્રદ્ધાના જોરે માટીના માનવીએ અનેરી, અનોખી અને અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. દૃઢ સંકલ્પ અને અંતરની આશિષોએ અશક્યને શક્ય બનાવ્યું છે. આ બધું કરનાર શક્તિ એટલે આત્માની શક્તિ.
પરંતુ આત્મા શુદ્ધ હોવો જોઇએ, નિર્મલ અને દોષરહિત હોવો જોઇએ, તો એવા અંતરાત્માથી ઉઠેલી આશિષ એળે (વ્યર્થ) જતી નથી. ભાઇના કાંડે રાખડી બાંધતી બહેન જો એવા આશિષ આપી શકે તો તેના ભાઇની રક્ષાની ખાતરી મળી જાય છે. માનવીના સંસારી જીવનની આ ભવ્ય ભાવનાની યાદ અપાવવા આ રક્ષાબંધનના તહેવારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર તહેવારનું મહત્વ સ્નેહ, સદભાવ અને અન્યોન્ય શુભેચ્છા વધે તેનું છે.
આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે.
મારો ભાઇ બહુ મોટો, એનો જડશે ના જગજોટો;
નાનો છો ને આજ દીસે, પણ કાલે થશે એ મોટો;
જગની અંદર ફૂલવાડીમાં, ખીલશે થઇ ગલગોટો !
બહેનની આ ઉક્તિમાં મૂર્તિમંત ભાવ નીતરતો જોવા મળે છે. રક્ષાબંધનનો પર્વ ભાવસંવર્ધનનું કામ કરે છે. આ પરમ પવિત્ર પર્વ સ્વાર્પણ, શૌર્ય, સૌજન્ય, સાહસ અને ભાઇ-બહેનના નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આ પવિત્ર પર્વ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ એટલે વેદ અને વ્યાસ માન્ય સંસ્કૃતિ.
આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ. "उत्सव प्रियाः खलु मनुष्या!" - ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.
રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. "સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી." એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ.
રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.
બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.
ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.
રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.
રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.
પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો.
"કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે..." અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો!
મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!
રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વનો બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ મહિમા છે. સમસ્ત બ્રહ્મસમાજ પોતાની ઉપવીત (જનોઈ) વેદના મંત્રોચ્ચાર સાથે સાગર કે સરિતા તટે દેવમંદિરના સાન્નિધ્યમાં વિધિપૂર્વક બદલાવે છે.
નવી જનોઈ ધારણ કર્યા પછી ચારેય વર્ણને રાખડી બાંધી આશીર્વાદ આપે છે, અને દક્ષિણા પ્રાપ્ત કરે છે. આ જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા પછી જ "સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્" કહેવાય છે. આ રીતે જોતાં દરેક પર્વોમાં રક્ષાબંધનનું અને બળેવનું પર્વ એક અનોખા પર્વ તરીકે પર્વ તરીકે આગવી જ ભાત પાડે છે. રક્ષાબંધનનું નામ બળેવ.
બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !
રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.
अनेन विधिना यस्तु रक्षाबंधं समाचरेत् ।
स सर्वदोष रहितः सुखी संवत्सरं भवेत् ॥
જે મનુષ્ય વિધિ પૂર્વક રક્ષાબંધન કરે છે, તે સર્વ દોષોથી મુક્ત થાય છે અને જીવન પર્યંત પરમ સુખને પામે છે.
- See more at: http://www.sanatanjagruti.org/sanskar/rakshabandhan#sthash.OHNvdF7n.dpuf

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.